Mysamachar.in-જામનગર
જામનગર કોર્પોરેશનના મીલકતવેરા શાખા અને આસીસ્ટન્ટ કમીશનર ટેક્સની કચેરીઓમા મીલકત વેરા બાબતે કંઇક રંધાયાની ચર્ચા નાણા ક્ષેત્રોના જાણકારોમાથી હોય ચકચાર મચી છે આ બાબત જો કે ઓડીટ તેમજ વિજીલન્સની છે ત્યા સુધી શંકાના વમળો ઘેરા હોવાથી ઉચ્ચ સ્તરે તપાસની તો જરૂર ઉભી થઇ હોવાનુ પણ અમુકે જણાવ્યુ છે, કેમકે મિલકત વેરાના રિબેટ મામલે કઇક જબરા ગોટાળાની શંકા સાથે ગંભીર આક્ષેપો શરૂ થયા છે જે હજુ કલર પકડશે તેવુ પણ સુત્રોનુ માનવુ છે, તેમજ રીબેટની જાણ નહી બાદ કરાય નહી આસામીઓને સંતોષકારક જવાબ ન મળે અને ઇન્વોઇસ રીસીપ્ટ વગેરેમા ટેકનીકલ એરર આવે તે કોમ્પ્યુટરાઇઝ બેદરકારીના બદલે ગેરરિતિનુ કઇક એડજસ્ટમેન્ટ ઇરાદાપુર્વક કોકનુ હિત સાચવવા નથી થઇ રહ્યુ ને તે સવાલ ચકચારી અને અંગુલી નિર્દેશ કરનાર તો છે જ તેમ પણ તપાસ કરતા શંકાજનક ચર્ચા સાંભળવા મળી છે.
જામનગર હદ વિસ્તારમાં મિલકત ધરાવતા મિલકત ધારકોને હાઉસ ટેક્સ શાખા વર્ષ 2020-21ના વર્ષના ટેક્સ પાછલી બાકી રહેતી રકમ સાથે ભરપાઈ કરવામાં આવે તો મહાપાલિકા અગાઉ જાહેર કર્યા મુજબ સામાન્યકર શિક્ષણ ઉપકર તથા ફાયર સેફટી ચાર્જની રકમ ઉપર 10 ટકા ડિસ્કાઉન્ટ વળતર તેમજ ઓનલાઇન ભરપાઈ કરવામાં આવે તો વધારાના 2 ટકા સાથે કુલ 12 ટકા વળતર તા.31-8-2020 સુધી આપવામાં આવશે તેમ જાહેર થયેલુ પરંતુ રાજ્ય સરકારનો આત્મનિર્ભર પેકેજ અંતર્ગત જાહેર થયેલ પ્રોપર્ટી ટેક્સમાં રહેણાક મિલકતોને 10 – 10 ટકા તથા વાણિજય એકમોને 20 ટકા મળી કુલ રહેણાક મિલક્તો 10 ટકા વાણિજ્યમાં 20 ટકા વધુ બાદ કરી આપવા જોઈએ પરંતુ ? તે ન આપીને જામનગરની જનતા ખુલ્લેઆમ છેતરપિંડી કરી પુરો વેરો ઉઘરાવામાં આવ્યો છે અને રાજ્ય સરકારના પરિપત્ર મુજબ અમલવારી કરવામા આવી નથી તેવી અનેક રજુઆતો મૌખીક અને લેખીત રીતે ધ્યાનમા આવ્યુ છે,
આવા અનેક કિસ્સાઓમા માત્ર એક સેમ્પલ પુરતુ ઉદાહરણ જોઇએ તો શહેરના આસામી હસુમતી જનકરાય મહેતા જેમનુ રહેઠાણ શેઠફળી શેરી ને 2, દેનાબેંક હવાઈચોક પાછળ છે જેના એસેસી નંબર, 1/01347/00000/002 છે તેમને સીધી જ કમિશનર સાહેબને રજુઆત કરી છે કે તેમનુ મકાન દેનાબેંક (હાલ બેન્ક ઓફ બરોડામાં મર્જ થઇ ગયેલ હોય)હવાઈચોક શાખાને ભાડે આપેલ, જે મકાન બેન્કને હાલ જરૂરિયાત ન હોય તેમના દ્વારા તા. 31/07/2020 ના રોજ થી ખાલી કરેલ હોય તેમનું સ્ટેટસ વાણિજ્ય હોય તો તે તા. 01/08/2020 11/01347/0C000/002 સેલ્ફ ઓક્યુપાઇડ ગણીને હવેથી તા. 01/08/2020 ના રોજ ના ટેક્સ ની ગણતરીમાં લેવા અરજી કરેલ,
જે મીલકત વેરા ખાતા દ્વારા તેમાં સુધારો કરીને ફેરફાર કરવામાં આવેલ જેની અમલવારી તા. 01/04/2020 થી 31/03/2021 સુધી તથા હવે પછી જ્યાં સુધી ફેરફાર ન થાય ત્યાં સુધીનો ટેક્સ ગણીને જે તે રકમ ભરી દેવામાં આવેલ તે દરમિયાન ગુજરાત રાજ્ય સરકારના આત્મનિર્ભર પેકેજ અંતર્ગત જાહેર થયેલ પ્રોપર્ટી ટેક્સમાં વાણિજ્ય એકમોને રિબેટ તા. 31/08/2020 સુધીમાં આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવેલ હતુ જેથી તેનો લાભ લેવા માટે આસામીએ તાત્કાલિક રૂપિયા ભરી આપેલ છે. જેના રિબેટના રૂપિયા આજની તારીખે પણ આસામીના ખાતામાં જમા ન થયેલ નથી તો આ બાબત લહેણાં નીકળતા રૂપિયા મળે તે માટે માંગણી કરી છે, પરંતુ મીલકત વેરા શાખાના ટેક્સ ઓફીસરે દાદ ન દીધી તેમજ આસીસ્ટન્ટ કમીશનર ટેક્સ જે ચીફ એકાઉન્ટન્ટ પણ છે તેમને પણ દાદ દીધી ન હતી માટે કમિશનર કક્ષાએ લેખીત રજુઆત થઇ છે.
– બીલ અલગ તો રીબેટ કેમ એકમાં જ?? રીબેટ જાય છે ક્યા?? અનેક કિસ્સા
આસામીને ટલ્લે ચડાવા માટે લગત બંને અધીકારીઓએ એવુ સમજાવ્યુ કે એક બીલમા રીબેટ અપાયુ તો બીજા બીલમા ન મળે ત્યારે ટેકનીકલ પોઇન્ટ એ છે કે તો પછી બીલ જુદા-જુદા શા માટે બન્યા?? તો એ બીલનુ રીબેટ ક્યા ગયુ?? શુ કઇ સીસ્ટમ છે કે અગાઉથી રીબેટ બાદ ન કરવી ને પાછળથી ક્રેડીટ આપવાનુ ગતકડુ રાખી આવી રીતે ઘણાને બાદ ન આપવાનો કારસો થયો તે તપાસનો વિષય છે તેમજ અનેક કિસ્સામા આવી ગેરરિતિ થાય છે ત્યારે અગાઉથી જ વેરો સ્વીકારતી વખતે જ મીલકતના પ્રકાર મુજબ રીબેટ બાદ કરીને જ નાણા સ્વીકારવા જોઇએ ને?? તેવો પ્રોગ્રામ ન બનાવી આસી. કમી.ટેક્સ અને મીલકત વેરા અધીકારી તેમજ તેમના તમામ સ્ટાફ શુ કરવા માંગે છે તે તપાસનો વિષય છે કેમકે આવા નુકસાન થયાના આસામી ઘણા છે તેમજ હજુ જેમ-જેમ ખ્યાલ આવે તેમ પણ જાગૃત થઇ રહેલા આસામીઓ પણ આવી ગેરરિતીને પડકારવા આગળ આવશે તેવુ અનુમાન છે.
– બીલ ઇન્ટીમેશન પહોંચ લીસ્ટ તમામ જોતા સામે આવ્યા સવાલજનક અનેક ટેકનીકલ પોઇન્ટસ……. જવાબ કોણ આપશે??
1. કોમ્પ્યુટરમાં પ્રોગ્રામ નાખતી વખતે પૂરેપૂરી ચોકસાઈ વર્તવામાં ન આવતી હોય ડેટાની ભૂલને કારણે ટેક્સની પુરેપુરી વિગતનો તાળો મળતો ન હોય અથવા બદ ઇરાદાપૂર્વક તેમ કરવામાં આવતું હોય છે??
2. હિસાબી ગોટાળાથી પબ્લીક તથા સરકારી તિજોરીને પણ નુકસાન થતું હોય તેવું કરાતુ હશે??
3. લોકોને ખોટું બોલીને સમજાવી દેવામાં આવતા હોય કે ગેરમાર્ગે દોરાતા હશે??
4. કોર્પોરેશન ને પૈસા લેવાના હોય તો પુરેપુરા વસુલ કરવામાં જરાય બાકી નથી રાખતા જ્યારે પબ્લીક ને પૈસા પાછા આપવાના હોય અથવા ક્રેડિટ આપવાની હોય ત્યારે તેમાં લાલિયાશાહી જેવું વર્તન કરવામાં આવતું હોય તેવું કેમ??
5. અમુક આસામીઓ પાસે પુરાવા છે કે રૂપિયા ક્રેડિટ બતાવવામાં આવે છે તે રૂપિયાનું સ્પષ્ટીકરણ ખોટું કરવામાં આવે છે શુ આવુ ચોક્કસ કારણથી જ થાય છે??
6. એકાઉન્ટ-ઓડિટ ડિપાર્ટમેન્ટમાં સ્ટાફ પૂરતો હોવા છતાં કમ્પ્યુટર પ્રોગ્રામ અથવા ડેટા ફીડીંગ માં બદ ઈરાદાપૂર્વક ભૂલો રાખી અને કૌભાંડ આચરવામાં આવતું હોય તેવું કેમ લાગે છે??
7. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર યોજનામાં નક્કી કરેલા દર પ્રમાણે રીબેટ આપવાનું હોય તેવી કોઈપણ જાતની પબ્લિકને જાણકારી મળે તેવી કોઈ વ્યવસ્થા પુરતા પ્રમાણમા કેમ નથી ??
8. મકાનમાલિક તથા ભાડૂત દ્વારા અલગ અલગ(પોતાની રીતે) ટેક્સનું ચુકવણુ કરવામાં આવતું હોય તે છતાં પણ સ્ટાફ દ્વારા કહેવામાં આવે છે કે મકાનમાલિકે એકવાર રીબેટ નો લાભ લીધેલ હોય બીજીવાર ભાડુતને ના મળે તે ક્યાં કારણોસર વ્યાજબી છે? કારણકે બંને અલગ-અલગ પૈસા ચૂકવે છેને??