Mysamacahar.in-જામનગર
આજે રાષ્ટ્રના 74 માં સ્વાતંત્ર્યપર્વ પ્રસંગે સમગ્ર દેશમાં ઉજવણી થઇ રહી છે, ત્યારે જામનગર શહેરકક્ષાની ઉજવણી મનપા પટાંગણમાં કરવામાં આવી હતી જેમાં જામનગરના મેયર હસમુખ જેઠવાએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી, જેમાં મનપાના પદાધિકારીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ પણ જોડાયા હતા. આ ઉજવણીમાં શહેરમાં વિશિષ્ટ કામગીરી કરનાર ઉપરાંત કોરોના મહામારી દરમિયાન ઉત્કૃષ્ટ ફરજ બજાવનાર અધિકારીઓ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા જેમાં ખાસ તો મનપાના ચીફ ફાયર ઓફીસર કે.કે.બિશ્નોઈનું પણ કોરોના વોરીયર્સ તરીકે સન્માન કરવામાં આવ્યું..
કોરોના મહામારી દરમિયાન જયારે શહેરને વારંવાર ખાસ પ્રકારના લીક્વીડ દ્વારા સેનેટાઈઝ કરવાનું હતું ત્યારે તેવોએ આ ફરજ ઉપરાંત પણ મનપાના આરોગ્ય વિભાગ સાથે સેનેટાઈઝેશન ઉપરાંત કન્ટેનમેન્ટ કાર્યવાહી અને અધિકારીઓ કર્મચારીઓ સાથે સુચારુ સંકલન સાધી અને ફાયર વિભાગની કામગીરી ઉપરાંતની વિશિષ્ટ ફરજો બિશ્નોઈ દ્વારા અદા કરવામાં આવી હોય આજે શહેરકક્ષાની ઉજવણીમાં તેમને કોરોના વોરીયર્સ તરીકે ડેપ્યુટીમેયર દ્વારા સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા છે.