Mysamachar.in-જામનગર, દેવભૂમિ દ્વારકા
ગત 2020 ના વર્ષમા કોરોનાનો કપરો કાળએ પહેલા 2019 નુ તબાહીભર્યુ ચોમાસુને લીલા દુકાળ અને ફરીથી 2021મા કોરોનાથી તબાહી તે પણ આ વખતે વધુ હોય અત્યારથી જ ભયાનક પરિસ્થિતિ બની છે અને પૈસા રોજગાર ધંધા ઉત્પાદન મોંઘવારી રોકાણ ખર્ચ જેવી બાબતોને આ કપરાકાળએ ભાંગીને ભુક્કો કરતા અત્યારથી પહેલા શોર્ટેજ અને મોંઘવારીનો માર પડી જ ગયો છે અને હવે રોગચાળો અત્યારથી માંડી જ્યારે શમશે ત્યા સુધીમા લોકોની ને સીસ્ટમની કમર ભાંગીને ભુકો કરી નાખશે તે વાસ્તવિકતા છે,
ભયાનકતાની આ સ્થિતિ અંગે જોઇએ તો કોરોનાની બીજી લહેર ની વધુ જોરદાર કારમી થપાટ કળ નહી ઉતરવા દે અને બેરોજગારી, મોંઘવારી, મંદી, પ્રોડક્શન લોસ બધુ જ અનુભવાય રહ્યુ છે જેના કારણે હાલારના બંને જિલ્લા સહિત વ્યાપક આર્થિક નુકસાન બેંકોને આર્થિક નુકસાન, લોકોની ઘટતી કાર્યશક્તિ, કામ રોજગાર પૈસાની ભીંસ વધી રોટેશન ઠપ્પ અને ક્યાયથી કઇ આશાના કિરણ જ ન હોઇ ધ્રુજાવી દેતો અંદાજ નિષ્ણાંતોએ મુક્યો છે, અને ખુબ ગંભીર સમીક્ષાજનક સ્થિતિમા હાલ હાલાર સહિત સૌરાષ્ટ્ર ગુજરાત દેશ અને દુનિયા ફસાઇ છે એવી કે હાલ જિંદગી બચાવોની બુમ છે, જે ટુંકસમયમા જીવન ગતિ બચાવોની બુમ અને પીડામા પરિણમશે તે જોઇ શકાય છે અંદાજ કરી શકાય છે તેમ ઇકોનોમીસ્ટો કહે છે.
ગત વર્ષે તો કેન્દ્ર સરકારે જુદા જુદા આર્થિક સહાય પેકેજ તેમજ અનાજ ફ્રી આઠ મહીના એમ લાંબો સમય રાહત આપ્યાનુ ગૌરવ લીધેલુ પરંતુ આ વખતે તો સરકાર કોરોના કેસમાથી બહાર આવી કોરોના સિવાયની પરિસ્થિતિમા લોકોને મદદ કરી શકે તેવી સ્થિતિમા જ નથી, માત્ર સ્થાનિક ઉદાહરણ રૂપે બે ય જિલ્લાની 25 લાખની જનસંખ્યામાંથી દસ ટકાથી ય વધુ લોકો ડાયરેક્ટ ઈનડાયરેક્ટ કોરોનાની સીધી અસરમા કાં બિમાર કા બિમાર પરિજન સેવા કા કોરોના કેર અને લગત ચીજવસ્તુ ઉત્પાદન વેચાણ કે હેલ્થ સર્વિસ કે વહીવટી બાબતોમા કોરોના કાળમા સપડાયેલા છે,
એ સિવાય 30 ટકા જેટલા બાળકો છે ઉપરાંત પંદર ટકા વૃદ્ધો છે ત્યારે બાકી આબાદી જે 35 ટકા છે તેને કમાવવાની અને રોગથી બચતા રહેવાની એમ બંને ગભરાટ છે કેમકે લોકોએ ઉપયોગીતા જરૂરીયાત વગેરે ઘટાડી દિધા છે માટે ધંધા રોજગાર ઉત્પાદનની માઠી બેઠી છે હાલ જે બે પૈસા છે તે બચાવોની નિતી રાખી જરૂરી જ ખર્ચ કરવાની મજબુર સ્થિતિ માત્ર ટક કમાય ટક ખાનાર કે સામાન્ય નોકરી ધંધા કરનાર જ નહી માલેતુજારની પણ જોવા મળે છે કેમકે જેમ મોટો પથારો તેમ મેન્ટેનન્સને ઘસારો અને જાળવણીમા વધુ ખર્ચ થવાનો જ છે,
ગત કોરોનાએ આંખ ખોલી સરકારોની પોલ ખોલી નાણાસ્થિતિને તળીયે ધકેલી લોકોના સ્વાસ્થ ખોખલા કર્યા ધંધા ઠપ્પ કા મંદ કર્યા ઉત્પાદન ઘટ્યા કેમકે માંગ ઘટીવગેરે વરવી વાસ્તવિવકતામાથી સૌ નીકળવાની હિંમત ભેગી કરતાતા અને સહેજ ગતિ થઇ ત્યા એવો ઊલળી ને કોરોનાનો કારમો ઘા આવ્યો કે આ વખતે તો સરકારો તંત્રો વિભાગો સીસ્ટમ્સ માલેતુજારો દરેક હતપ્રત થઇ ગયા છે.
કેમકે એક તરફ સરકાર રોગચાળાને નિયંત્રણ નહી પહેલા તો મેનેજ કરી શકતી નથી લોકો પોતે મજબુર છે જરૂરી સારવાર મળતી નથી જરૂરી ચીજવસ્તુ નથી મળતી ઉપરથી મંદી મોઘવારી બેરોજગારીનો કાળ ચાલુ થઇ ગયો જેમા બીજો મોટો વર્ગ આ બધુ જોઇ ફફડે છે કે શુ થશે?? સમગ્રપણે બંને જિલ્લા રાજ્ય દેશમા અવ્યવસ્થાની આંધી છે તે ધ્રુજાવે છે અને આમાથી ઉગરી ન શકાય તો શુ થાય તે ભયાનકતા છે સમજી શકાય તેમ છે કે બિમાર માટે દવા બેડ એમ્બ્યુલન્સ ઓક્સીજન ઇન્જેક્શન બાટલા મેડીકલ ઇક્વીપમેન્ટ અને ફેસીલીટી જગ્યા વગેરે ન મળે તે દેશમા સાજા લોકો માટે તો સો ટચની ટકોરાબંધ દરેક વ્યવસ્થાની કલ્પના કેમ કરવી?? અને અવ્યવસ્થાથી સર્જાઇ છે જોહુકમી ગેરવહીવટ અને અંધારાવાળુ ભવિષ્ય……તેમ નિષ્ણાંતોના તારણ છે.
સરકાર ડઘાઇ ગઇ છે તેને કોરોનામા ફસાયેલાને ઉગારવા અને એ સિવાયના વર્ગને સુવિધા સગવડ અને સ્થિર બજારને ઉત્પાદન સાથે નાણાકીય સહાય વગેરેની સાનુકુળતા કરવાની છે તે બંને નથી થઇ શકતા તેમ રાજકીય વિશ્ર્લેષકો ટીકા કરે છે આવી વરવી વાસ્તવિકતાથી અત્યારના જ બેહાલ બદહાલ સ્થિતિમા જનજીવન છે જે હજુ ભીંસ મંદી પીડા મોંઘવારી નાણાની કારમી ખેંચ વધતી જાય તો નવાઇ નહી તેવુ ચિંતા સાથે જાણવા મળ્યુ છે બીજી તરફ એ પણ જોઇએ કે દુનિયાભરમાં ઘેરા બનેલા કોરોના વાઇરસના સંકટના કારણે માણસો જ નહીં, દુનિયાના દેશોની અર્થવ્યવસ્થા પણ બીમાર બની ગઇ છે.
કોરોના વાઇરસના કારણે દુનિયા ફરી વખત મહામંદીમાં સપડાઇ છે. આર્થિક વિશ્લેષકો વર્ષ 1930ની મંદી બાદની સૌથી ખરાબ આર્થિક પરિસ્થિતિ ગણાવી રહ્યાં છે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના જણાવ્યા અનુસાર કોરોના મહામારીએ દુનિયાને અભૂતપૂર્વ સંકટમાં મૂકી દીધી છે.તાજેતરમાં એશિયન ડેવલપમેન્ટ બેંકે ચેતવણી આપી છે કે કોરોના મહામારીના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થાને 5800 અબજથી 880૦ અબજ ડોલરનું નુકસાન થઇ શકે છે. એટલું જ નહીં, આખી દુનિયા ઘેરા આર્થિક સંકટમાં સપડાઇ શકે છે. એશિયન ડેવલપમેન્ટ બેંકના અનુમાન અનુસાર વૈશ્વિક વેપાર સંકોચાઇ રહ્યો છે અને બેરોજગારી વધી રહી છે એ સંજોગોમાં કોરોના મહામારીના કારણે વૈશ્વિક જીડીપીને 6.4 ટકાથી 9.7 ટકાનું નુકસાન પહોંચી શકે છે.આમાં ભારત સહિત દક્ષિણ એશિયાના દેશોમાં કડક લૉકડાઉનના કારણે દક્ષિણ એશિયાની જીડીપીમાં 6 ટકા જેટલું નુકસાન જઇ શકે છે.