Mysamachar.in-જામનગર
જામનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોજીટીવ કેસોની સંખ્યામાં સતત ને સતત વધારો થઇ રહ્યો છે, એવામાં જામનગરની કેટલીક સરકારી કચેરીઓમાં પણ કોરોના ટેસ્ટીંગ દરમિયાન સંક્રમિત થયેલા કર્મચારીઓ સામે આવતા ફફડાટ ફેલાઈ જાય તે સ્વાભાવિક છે, વધુમાં અરજદારોએ પણ બિનજરૂરી સરકારી કચેરીઓમાં જવાનું ટાળવું હિતાવહ છે.જાણવા મળતી વિગતો પ્રમાણે સીટી એ ડીવીઝન પોલીસ મથકના એક પીએસઆઈનો રીપોર્ટ પોજીટીવ આવ્યા બાદ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવતા એ ડીવીઝન પોલીસ મથકના વધુ 3 પોલીસકર્મીઓ પણ સંક્રમિત થયા છે,
તો પીજીવીસીએલ સર્કલ કચેરીમાં પણ કોરોના ટેસ્ટીંગ કરવામાં આવતા 2 જુનીયર ઈજનેર સહીત 11 કર્મચારીઓના રીપોર્ટ પોજીટીવ આવ્યા છે, તો જામનગર જીલ્લા તિજોરી કચેરીના 2 કર્મચારીઓ પણ કોરોનાની ઝપટે ચઢયા છે.આમ સરકારી કચેરીઓમાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું તેમ લાગે છે, જેની સામે લોકો વધુ સતર્કતા દાખવવાની જરૂર છે.