Mysamachar.in-જામનગર
જામનગરમાં વધતા જતા કોરોના કેસથી ચિંતિત થઇ સંવેદનશીલ મુખ્યમંત્રી રૂપાણી સાથે આરોગ્યનો હવાલો સંભાળતા નાયબમુખ્યમંત્રી પટેલને લઇ જામનગર મુલાકાતે આવ્યા અને સોનેરી સલાહ આપી ગયા પરંતુ ત્યારબાદ કેસની એવરેજ વધી છે જોકે ટેસ્ટીંગ એટલુ વધી શક્યુ નથી કેમકે સી.એમ.એ રોજના હજાર ટેસ્ટનુ કરવા કહ્યુ હતુ ચિંતાની બાબત એ છે કે કોરોના કે કોવિડમાં મોતનુ પ્રમાણ વધતુ જાય છે અને માત્ર વૃદ્વો જ નહી મીડલ એજ યંગ એજના દર્દીઓના મૃત્યુ થાય છે તે ખુબજ દુખની બાબત છે, આ સંજોગોમાં એક જ બાબત થઇ શકે કે કોઇ પણ સામાન્ય બિમારી લાગે તો પણ તુરંત દવાખાને જવુ તેમજ પ્રાયવેટ પ્રેક્ટીસનર્સ પણ દર્દીઓને જાગૃત કરે વાયરલ….વાયરલ….કરી હળવાશ થી ન લેવડાવે તે ખુબ જરૂરી છે.
હાલ તાવ શરદી ઉધરસ ગળાનો દુખાવો ફેફસા-છાતીમાં દુખાવો કે શ્ર્વાસ લેવામા તકલીફ ઉલટીઓ ઝાડા પેટનો દુખાવો સાંધા તુટવા ટુટ કળતર વગેરે ગમે તે તકલીફ થાય તો તુરંત હોસ્પીટલ જવુ,.. જીજી હોસ્પીટલમાં પણ સીનિયર ડોક્ટરોએ જુનિયરોને સલાહ આપવાની જરૂર છે કે આવતા દર્દીઓના લક્ષણ જીણવટ થી તપાસે દર્દી કોઇ લક્ષણ ન જણાવે તો સામેથી પુછે તેમજ ફોલોઅપમાં આવવાનો આગ્રહ રખાવી જરાપણ શંકા લાગે તો લેબોરેટરી રિપોર્ટ કરાવે કે સિનિયર ડોક્ટરની સલાહ લે તે જરૂરી છે.
બીજી તરફ રેપીડ ટેસ્ટ થાય છે પરંતુ સો ટકા કિસ્સામા તે સચોટ પુરવાર ન થઇ રહ્યા હોય કોઇપણ સામાન્ય લક્ષણમા પણ ફરીથી ટેસ્ટ કરાવવો સલાહભર્યુ છે, સમગ્ર તંત્ર જાણે છે તેમ જામનગરમાં સીએમ રવાના થયા બાદના ત્રીજા દિવસથી વધુ 50 કે તેની આજુબાજુ કે તેથી વધુ કેસો સામે આવ્યા (ટેસ્ટીંગ એટલુ બધુ વધ્યુ નથી છતા)અને ઓગષ્ટ માસમાં ગામડામાં કોરોના સંક્રમણમાં ચિંતાજનક વધારો થયો છે માટે જનતાએ જાતે જ સાવચેત રહેવા કોરોના મહામારી ચેતવણી આપે છે
મુખ્યમંત્રી વિજય રૂપાણી જામનગર હતા ત્યાં સુધી કોરોના ક્ંટ્રોલમાં રહ્યા બાદ જેવા જામનગરથી રવાના થયા બાદ બે જ દિવસમાં ગ્રામ્યમાં 13 અને શહેરમાં 61 કોરોના દર્દી હોવાનો ધડાકો થયા બાદ પચાસ પચાસ જેવા કોરોના કેસ સામે આવતા એક હજાર ઉપર કેસો વધી જઇને આરોગ્ય વિભાગએ દોડધામ શરૂ કરીને રૂટીન કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ કોરોનાના કેસોનો સરેરાશ ઉછાળો જોવા મળી રહ્યો છે તે વચ્ચે જામનગર શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ચાલીસ પીસ્તાલીસ પચાસ કેસો સામે આવે છે
અને જામનગર જિલ્લામાં ચાર થી માંડી છ આઠ ક્યારેક તેથી વધુ કેસ આવી રહ્યા છેત્યારે જામનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણમાં ઓગષ્ટ માસમાં એકાએક ઉછાળો આવતા એકી સાથે 100થી વધુ જેવા કેસો માત્ર આ માસમાં બહાર આવ્યા છે ત્યારે ચિંતાનો વિષય કહી શકાય તેમ હોય લોકોએ હવે તં જાતે જ તકેદારી રાખવા જરૂરી બની હોવાનું બહાર આવી રહ્યું છે.
આમ જામનગર જિલ્લામાં મુખ્યમંત્રીના આગમનના ગાળામા કેસ કોઇ કારણસર નિયંત્રણમા રહ્યા બાદ છેલ્લા દિવસોમાં એકાએક કોરોનાના કેસોમાં ધરખમ ઉછાળો આવતો રહ્યો છે આ ઉપરાંત ચિંતાજનક રીતે વધતુ મૃત્યુનુ પ્રમાણ જોતા એક તો દર્દી તુરંત યોગ્ય સારવાર લેવા પહોચે દવાખાના હોસ્પીટલમા સ્થિતિ મુજબ ગંભીર રીતે સારવાર થાય સીરીયસ દર્દી ઉપર વધુ ધ્યાન અપાય તેમજ જે આવશ્યક સઘન સારવાર જરૂરી હોય તે તુરંત જ અપાય તે ખાનગી અને સરકારી બંને જગ્યાએ કાળજી લેવા જુનિયરોએ આવા કેસમા સિનિયરોનુ તુરંત ધ્યાન દોરતા રહેવુ જરૂરી છે.