Mysamachar.in-જામનગર
જામનગરમાં આડેધડ રેકડી પથારાની સામે પગલા લેવાની કામગીરીના ભાગના એસ્ટેટ શાખાના કહેવાતા મોનિટરીંગથી ખુશ ન હોવાથી જામનગર શહેર માટે કોઈપણ પરિસ્થિતિમાં સતત દોડતા રહેતા કડક અને નિષ્ઠાવાન અધિકારીની છાપ ધરાવતા કમિશનર જાતે રેકડી પથારા હટાવવા પટમા આવ્યા બાદ બધુ જૈસે થે થયુ આ તો છે અસ્થાયી દબાણ પરંતુ સાથે સાથે જાહેર અને ખાનગી એવા પાર્કીંગના તેમજ બધા પ્રકારના દબાણો હટાવવા આ રીતે જ કમિશનર પટ્ટમાં આવશે? તેમ નાગરીકોમાં ચર્ચાય છે અને જો આવશે તો ક્યારે આવશે?પટ્ટમા આવશે તો પાણીના વહેણ અટકાવતા અમુક શેરી ગલી દબાવતા અમુક રોડ દબાવતા વગેરે પ્રકારના દબાણો સામે રેકડીઓ સામે કરી તેવી બેટીંગ કરશે? તેમ પણ જાણકારો પુછે છે,
જમનગર મહાનગર પાલીકાએ એક તરફ સંખ્યાબંધ દબાણ મુદે નોટીસો ફટકારી બાદમા પાણીમા બેસી ગયુ છે, તો બીજી તરફ જાહેર દબાણ અને પાર્કીંગના મુદે હાલના અને તુરંત અગાઉના કમિશ્નરે જાહેરનામા બહાર પાડ્યા છે, અને જો તેનુ પાલન નહી થાય તો ક્રીમિનલ પ્રોસીજર કોડ મુજબ ગુનો નોંધવામા આવશે તેવી તાકીદ કરી છે પરંતુ એ જાહેરનામા બાદ એક પણ જાહેર દબાણ દૂર થયા નથી (બર્ધન ચોક તો ઠીક છે કે દબાણ નિરીક્ષકો માટે હોટ ફેવરીટ છે જ્યા અનેક કારણોસર વારંવાર પથારા ઉઠાવાય છે ફરી ગોઠવાય છે તે સિવાય) આ જાહેરનામા હેઠળ ટીપીઓ,એસ્ટેટે ઠોસ કામગીરી કરી નથી,
જાહેર માર્ગો અને સ્થળોએ જે નિયત કરેલ કે મંજુરી અપાયેલ બાંધકામ કે સ્ટ્રક્ચર છે તે સિવાય કોઇપણ ઓટલા,આડશ,સ્થાયી કે અસ્થાયી પતરા- પ્લાસ્ટીક કે લાકડાથી આડશ કરવાની મનાઇ છે તેમ છતા શહેરમા મોટાભાગના દરેક માર્ગો ઉપર મોટી ગલીઓમા દુકાનો મકાનો આજુબાજુ અરે અમુક તો સરકારી કચેરીઓના દરવાજા પાસે સ્થાયી કે અસ્થાયી પથ્થરના કે પતરાના કે ઓટલાના દબાણ ઠેર-ઠેર જોવા મળે છે.
ઉપરાંત તાજેતરમા જ શોપીંગ સેન્ટરોના પાર્કીંગના દબાણ ખુલ્લા કરવા નોટીસ અપાઇ છે લો રાઇઝ કે હાઇ રાઇઝમા અગાસી તરફ જતી સીડીઓ બાથરૂમ વગેરે ખુલ્લા એટલે કે લોક નહી લગાવી સહેલાઇથી આવન જાવન થાય તે રીતે રાખવા નોટીસ અપાઇ છે, તેમજ આપતિ નિયમન ના દ્રષ્ટીકોણથી તમામ સલામતી અને તકેદારીના પગલા લેવા માટે પણ જાહેર નોટીસો વ્યક્તિગત નોટીસો હોસ્પીટલ, શાળા, ક્લાસીસ, હોટલ, રેસ્ટોરન્ટ, શોપીંગ સેન્ટર,મોલ વગેરે દરેક સ્થળો માટે અપાઇ જ છે
પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે આ બધી નોટીસો બાદ પગલા કોણ લે..? જી.પી.એમ.સી. એક્ટ હેઠળના જાહેરનામા ભંગ સબબ સીઆર.પી.સી. હેઠળ ગુના નોંધાશે તેમ તાકીદ કરાઇ પરંતુ આવા કેસ નોંધાયા નથી તો આવી નોટીસ જાહેર કરવાનો હેતુ શુ છે તે સ્પષ્ટ થતુ નથી
-ટીપીઓ-એસ્ટેટનુ ગઠબંધન કમિશ્નરનેય ગાંઠતુ નથી
દબાણ નહિ કરવાનુ અને દુર કરવા ક્રીમીનલ પ્રોસીજર કોડ મુજબ પગલા લેવાનુ કમિશનરનુ જાહેરનામુ વર્ષોથી ધુળ ખાય છે પાર્કીંગ અને સીડી અગાસી ખુલ્લા રખાવાનુય હાલનુ જાહેરનામુ ધુળ ખાય છે કેમકે ટીપીઓ- એસ્ટેટ નુ ગઠબંધન કમિશ્નરનેય ગાંઠતુ નથી નહિ તો જાહેર સુખાકારી અને કમિશ્નરના આદેશના પાલન કરાવવા રોજ બે કલાક નિયમિત કામગીરી થઇ શકે પરંતુ કરવી હોય તો….
-પાર્કીંગ-ઓટલા ઝુંબેશ બાદ બધુ જૈસે થે
અગાઉ ઓટલા તોડ ઝુંબેશ શરૂ થઇ હતી અને શોંપીંગ સેન્ટરોના પાર્કીંગ પણ થોડા ખુલ્લા કરાવાયેલા પરંતુ બાદમા જૈસે થે થઇ ગયુ હવે તો વધુ અને સારા ઓટલા ઠેર-ઠેર થઇ ગયા છે તેમજ શોપીંગ સેન્ટરોમા પાર્કીંગ ખુલ્લા ન હોય તેવી અગાઉની 182 ઇમારત બાદ 80 થી વધુ પાર્કીંગ દબાણ સ્થળ શોધી કઢાયા છે આ તમામ દૂર કરવા મુહુર્તની રાહ જોવાય છે, લોકોને ટ્રાફીક નિયમનને ,રાહદારીઓને આવી બાબતોથી ખુબ જ હાલાકિ પડે છે પરંતુ તંત્ર ને કોઇ કારણોસર કામ નથી કરવુ અને કમિશ્નર પણ કદાચ જાહેર નોટીસ કે જાહેરનામુ પ્રસિદ્વ કરી ભુલી જતા હશે નહી તો તેનો અમલ કરાવવો જોઈએ…
-ગેરકાયદેસર બાંધકામોનો રાફડો અમુક વિપક્ષ તો અમુક શાશકના લે છે “લાભ”
જામનગર શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદેસર બાંધકામોની હારમાળા સર્જાઈ છે, એકાદ નહિ પરંતુ ઢગલોમોઢે ગેરકાયદેસર બાંધકામો કરી લીધા બાદ જયારે શાશક અને વિપક્ષના કેટલાક ચબરાક સભ્યોને તેની જાણ થાય એટલે તેમાંથી એકવાર સરખો અથવા કટકે કટકે લાભ લેવાનું ચાલુ રાખે છે. તાજેતરમાં જ જુના ગેલેક્સી ટોકીઝ નજીક ફોજી ધાબા તરફ જતા રસ્તા પર ગેરકાયદેસર બની ગયેલ દુકાનોમાં પણ એંક પદાધિકારી અને કોર્પોરેટર પતિએ સારો એવો લાભ લીધાનું મનપાના સૂત્રોમાંથી જાણવા મળે છે, આવા જ કેટલાક બાંધકામોની હારમાળા રણજીતસાગર રોડ પર છે, તેની સામે કદાચ અધિકારીઓને પગલા લેવા હોય તો દબાણ તળે લઇ શકતા નથી જે તેની મજબૂરી છે.