Mysamachar.in-જામનગર
જામનગર શહેર અને જીલ્લામાં જે રીતે કોરોના સંક્રમણ વધી રહ્યું છે તેને જોતા સરકાર કરે કે ના કરે પણ હવે વેપારીઓ, ગ્રામજનો, સંસ્થાઓ વગેરે આગળ આવી રહ્યા છે અને સ્વયંભુ બંધ પાડી કોરોનાની ચેઈન તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, ત્યારે જામનગર શહેરમાં પણ કોરોનાની ચેઈન તોડવા માટે આગામી શુકવાર શનિવાર અને રવિવાર સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય વેપારી સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યો છે, આજે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ખાતે પ્રમુખ બીપેન્દ્રસિંહ જાડેજા, ધી સીડ્ઝ એન્ડ ગ્રેઇન મર્ચન્ટ એસોસિયેસન પ્રમુખ જીતુભાઈ લાલ, વેપારી મહામંડળ પ્રમુખ સુરેશ તન્ના, ફેક્ટરી ઓનર્સ એસોસીયેન પ્રમુખ લાખાભાઈ કેશવાલા અને અક્ષતભાઈ વ્યાસે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરીને માહિતી આપતા જણાવ્યું કે આગામી 16 થી 18 એપ્રિલ શુક્રવાર શનિવાર અને રવિવાર જામનગર શહેરના તમામ વ્યાપાર ધંધાઓ સ્વૈછિક બંધ રાખવા વેપારીઓને અપીલ કરવામાં આવી છે સાથે જ લોકો પણ આ બંધને સહકાર આપે તેવી આશા વેપારી આગેવાનો દ્વારા રાખવામાં આવી છે.