Mysamachar.in-જામનગર
ગુરુ ગોબિંદસિંગ સરકારી હોસ્પિટલમાં સગર્ભા માતાઓ તથા ઓછી ઈમ્યુનીટી ધરાવતા હાય રિસ્ક બાળકોના વાલીઓને કોરોના પ્રતિરોધક રસી આપવા માટે રસીકરણ બુથનો કલેક્ટર ડો.સૌરભ પારધીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. કલેક્ટરએ સગર્ભા માતાઓને કોઈપણ ભય વગર સરકારની ગાઈડલાઈન મુજબ કોવીડ-19 પ્રતિરોધક રસી લઈ આ મહામારીથી સ્વયંને અને પોતાના શિશુને સુરક્ષિત રાખવા માટેના આ અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી.