Mysamachar.in: અમદાવાદ
મુખ્યમંત્રી અને મુખ્ય સચિવએ માર્ગ મકાન સચિવ સંદિપ વસાવાને સાથે રાખીને લીંબડી- બગોદરા વચ્ચે ચાલતા ૬ માર્ગીય રસ્તાના ડામર કામનું નિરીક્ષણ કરી જાત માહિતી મેળવી હતી તેમણે બગોદરા તારાપુર 6 લેન માર્ગ અન્વયે અરણેજ ખાતે બની રહેલા બ્રિજના કામો ની પણ મુલાકાત લીધી હતી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ રાજકોટ ધોરીમાર્ગને 6 લેન કરવાના પ્રગતિ હેઠળના કામોના સ્થળ નિરીક્ષણ અને ગુણવત્તા વગેરેની જાત માહિતી મેળવવા ના હેતુસર મોટર માર્ગે આ રૂટ પર નીકળ્યા હતા અને જુદા જુદા સ્થળોની માર્ગ નિર્માણ કામગીરી નિહાળી હતી તથા આ કામગીરી સાથે સંકળાયેલા ઇજનેરો અધિકારીઓ સાથે કામગીરીની સમીક્ષા કરી હતી. જો કે લોકો મુખ્યમંત્રીની આ મુલાકાતની પ્રસંશા કરતા કહે છે કે જામનગર જીલ્લામાં જે કામો થયા છે તાજેતરમાં અને જે કામો ચાલી રહ્યા છે તેની એક વખત મુલાકાત અવશ્ય કરજો તો ખ્યાલ આવશે…કારણ કે લાલપુર નજીકના પંચાયત અને સ્ટેટ બન્નેના કામોને લઈને ફરિયાદો થોડા સમય પૂર્વે ઉઠી હતી અને રસ્તાઓના કામોને લઈને ફરિયાદો ઉઠતી જ રહે છે.