Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકાની ચુંટણી માટે કાલે રવિવારે મતદાન છે ત્યારે છેલ્લી ઘડીનો સર્વે બહાર આવ્યો છે તે મુજબ વોર્ડ નંબર 15 ના નાગરીકોને વિકાસ જ જોઇતો હોય તેઓ સોળેય કળાએ કમળ ખીલવવા થનગની રહ્યા છે તેમજ વોર્ડ 15 ના શહેરના જુના તેમજ નવા ઉમેરાયેલા તમામ વિસ્તારોમાંથી ભાજપની પેનલના ચારેય ઉમેદવારોને લોકોનો ઉમળકાભેર પ્રતિસાદ મળી રહ્યો છે, 15 નંબરના વોર્ડના ભાજપના ઉમેદવારો જયસુખભાઇ ઢોલરીયા, જેન્તીલાલ ગોહિલ, હર્ષાબા જાડેજા અને શોભનાબેન પઠાણની પેનલ જંગી બહુમતીથી જીતશે તેમ રાજકીય વિશ્લેષકોએ જણાવ્યુ છે.
ખાસ કરીને દિલ્હી જામનગર સુધી વિકાસનો વાયરો છે તેમજ જામનગર શહેરના વોર્ડ નંબર 15 ના લોકોને અનેક સુવિધાઓ જોઇએ છે અને સુવિધાકાર્યો શરૂ પણ થયા છે જેમા રોડના ગટરના સ્ટ્રીટ લાઇટના સફાઇના કોમન ફેસીલીટીઝના વગેરે અનેક કામો અમુક શરૂ થયા છે અનેક લોકઉપયોગી કામોને મંજુરી મળી છે તે હવે શરૂ થશે અને લોકો માટે સંપુર્ણ પણે સુવિધાની ગતિ ચાલુ રહે તે માટે આ વિસ્તારના મતદારોએ ભાજપને મત આપી કમળને સોળે કળાએ ખીલવવા મન બનાવી લીધુ છે તેમ પણ એક સર્વે કહે છે.
વોર્ડ 15 મા જયસુખભાઇ તેમજ જેન્તીલાલ તથા હર્ષાબા અને શોભનાબેનને ચુંટણી પ્રચારમાં જે રીતે લોકોનો ઉમળકાભેર પ્રતિસાદ મળી રહ્યો છે જે જોતા ભાજપના ઉમેદવારોમા તથા ભાજપની છાવણી ગેલમા છે જ્યારે બીજી તરફ ભાજપને જંગી પ્રતિસાદ જોઇને વિપક્ષની છાવણી દંગ રહી ગઇ છે અને અત્યારથી જ હાર ભાળી ગઇ છે, લોકોમાંથી 15 નંબરના વોર્ડના ઉમેદવારો વિશે જાણવા મળ્યુ તે મુજબ જોઇએ તો
-ઉમેદવાર જયસુખભાઈ લાધાભાઈ ઢોલરીયા
જયસુખભાઇ વ્યવસાયે બ્રાસપાર્ટ વેપાર સાથે સંકળાયેલ છે. ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નં. 15 ના પ્રમુખ તરીકેની જવાબદારી ચાલુ છે. તેઓમાં દર્શન ગૌશાળામાં સક્રિય સભ્ય, જામનગર જીલ્લા ખોડલધામ ટ્રસ્ટના સક્રિય સભ્ય, શ્રી તપોવન એજયુકેશન ચેરી.ટ્રસ્ટના મહામંત્રી, લેઉવા પટેલ સમાજના સક્રિય સભ્ય તેમજ દરેક નાના-મોટા સામાજીક કાર્યમાં હંમેશા તત્પર તથા તન, મન, ધનથી સેવા આપતા રહે છે.
-ઉમેદવાર જેન્તિલાલ મગનલાલ ગોહિલ
જેન્તીલાલ બિલ્ડીંગ અને કન્ટ્રકશન વ્યવસાય સાથે સંકળાયેલ ધોરણ 10 સુધી અભ્યાસ કરેલા છે. વણકર સેવા સમાજ વાડી, શંકર ટેકરીના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સંભાળેલા સાથે સાથે સામાજીક પ્રવૃતિમાં અગ્રેસર રહું છું. સામાજીક ક્ષેત્રે અનેક વિદ્ય સેવાકિયા પ્રવૃતિઓ કરે છે અને આગામી સમયમાં આ પ્રવૃતિઓને વેગવંતી બનાવવા કટિબધ્ધ છે.
-ઉમેદવાર હર્ષાબા પ્રવિણસિંહ જાડેજા
હર્ષાબા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય તરીકે પાંચ વર્ષ સેવા આપેલ છે સાથો સાથ નવાનગર નેચર કલબનાં મહિલા પાંખના પ્રમુખ, રાજપુતાના સહીયર કલબના વાઇસ પ્રેસીડન્ટ તરીકે સેવા આપેલ છે જામનગરની અનેકવિધ સામાજીક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. રાજપુત સમાજનાં ગુજરાત રાજયનાં ‘નારીરત્ન’ તરીકે અને લાયન્સ કલબ, જામનગર દ્વારા ‘બેસ્ટ વુમન” તરીકે સન્માનિત થયેલ છે.
-ઉમેદવાર શોભનાબેન રસીકભાઈ પઠાણ
શોભનાબેન જામનગર શહેર ભા.જ.૫. મંત્રી તરીકે જવાબદારી સંભાળે છે. વોર્ડ નં. 15 ના પૂર્વ ઉપપ્રમુખ તરીકે સેવા આપેલ છે. ગુજરાત સરકારનાં એમ.એસ. એકટ 2013 ની સમિતિના સભ્ય તરીકે હાલમાં કાર્યરત છે. સને 2001 થી ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા તરીકે જોડાયેલા છે.
-વિકાસ જેટગતિએ થાય તે માટે મતદારોએ ઉમેદવારોને આવકાર્યા
વોર્ડ નંબર 15માં જયારે ભાજપના આ ચારેય ઉમેદવારો પ્રચારમાં જતા હતા ત્યારે અંતિમ ઘડી સુધી પ્રચારમાં અન્ય વિસ્તારમાં ભાજપના ઉમેદવારોની જેમ આ ચારેય ઉમેદવારોને જંગી પ્રતિસાદ જોતા આ વિસ્તારમાં લોકો વિકાસ માટે કમળ ખીલવવા તત્પર બન્યા હોય તેમ કાલે જંગી મતદાન કરી અને વિકાસયાત્રામાં સહભાગી બને તેમ જાણવા મળે છે.