Mysamachar.in-જામનગર
જામનગર સહીત રાજ્યની 6 મહાનગરપાલિકાઓ માટેનું મતદાનકાર્ય આજે પૂર્ણ થયું છે, અને ચુંટણીપંચે જારી કરેલા કાર્યક્રમ મુજબ આગામી મંગળવાર એટલે કે તા.23 ના રોજ કોની જીત અને કોની હાર તેનો ફેસલો થઇ જશે.અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે જામનગર મનપાની 16 વોર્ડ 64 બેઠકો માટે ભાજપના 64, કોંગ્રેસના 62 અને અન્ય તમામ પાર્ટીઓના મળીને કુલ 236 ઉમેદવારો ચુંટણીમેદાનમાં છે. અને ઉમેદવારો ચાલે છે કે નહિ તેનો ફેસલો મંગળવારે થનાર મતગણતરી કરી નાખશે.