Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના ખીમાણી સણોસરા એક હત્યાની ચોકાવનારી ઘટના સામે આવી છે, જેમાં જેમાં યુવકની શ્રમિક દંપતી અને તેની પુત્રી સહિતના ચાર સભ્યોએ પીપળના ઝાડ સાથે બાંધી હત્યા નિપજાવી હોવાનો બનાવ સામે આવતા પોલીસે હત્યાની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે, શ્રમિક દંપતીની અપરણિત પુત્રી સાથે મૃતક યુવકને બંધાયેલ પ્રેમસંબંધ હત્યાનું કારણ બન્યો હોવાનું સામે આવ્યું છે. જે બાદ દગાખોર પ્રેમિકાએ જ પ્રેમીને રાત્રે વાડીએ બોલાવી માતા-પિતાની મદદથી પતાવી દીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
કાલાવડ પોલીસ મથકે નોંધાયેલ વિગતો પર નજર કરવામાં આવે તો ખીમાણી સણોસરા ગામની સીમમા આવેલ ખારાવાળી વાડી કે જે નીર્મળસિંહ દિલાવરસિંહ જાડેજાની હોય તે વાડી વીરમભાઇ બટુકભાઇ ગમારા એ વાવવા રાખેલ રાખી છે. વિરામભાઈએ પણ આ જમીન સવજીભાઇ માધાભાઇ બારીયા નાયક અને ગુંજીબેન સવજીભાઇ બારીયા નાયક, સીમીબેન ભાવેશભાઇ બારીયાનાયક અને નાનીબેન સવજીભાઇ બારીયાનાયક રહે-બધા મુળ છોટાઉદેપુર વાળાઓને વાવવા આપી હતી. દરમિયાન વિરમભાઈના મિત્ર મહાવીરસિંહ ઉર્ફે મુન્નો રવુભા કાંધુભા જાડેજા વિરમભાઇ સાથે અવારનવાર વાડીએ જતા આવતા હતા. જેમાં મુન્નાને અપરણિત નાનીબેન સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. આશરે છએક માસથી પ્રેમસબંધમાં બંને અવારનવાર મળતા હતા. બંનેના આ સંબંધ અંગે તેણીના માતા-પિતાને ખબર પડી ગઈ હતી.
જેથી મુન્નાને પતાવી દેવા કાવતરું રચી જેથી આ ચારેયએ ભેગા મળી મરણજનાર મહાવીરસિંહને મારી નાખવાનુ ગુનાહીત કાવતરૂ રચી મુન્નાને શનિવારે રાત્રે વાડીએ બોલાવ્યો હતો. બંને તા.10/4/2021 ના બપોરના આશરે બેએક વાગ્યે વાડીએ મળેલ ત્યારે પ્રેમિકાએ મુન્નાને આજે રાત્રે વાડીએ કોઇ છે નહી તમારે મળવા આવવુ હોય તો આવજો એવી વાત કરી હતી. જેને લઈને રાત્રે સાડા આઠેક વાગ્યે મુન્નો વાડીએ પ્રેમિકાને મળવા ગયો હતો. જ્યાં પૂર્વયોજિત કાવતરું ઘડીને બેઠેલા તેણીના માતા પિતાએ મુન્નાને જેમ ફાવે તેમ ભુંડા ગાળો બોલી, નાળા(રસ્સી) દ્વારા પીપળાના ઝાડ સાથે બાંધી ગેરકાયદેસર અટકાયત કરી, પ્રેમિકા સાહિતનાઓએ લાકડાના ધોકા વડે આશરે સતત અડધો કલાક માર મારી કરપીણ હત્યા નિપજાવી હતી. આ બનાવની સવારે જાણ થતાં જ મૃતકના ભત્રીજા ધ્રુવરાજસિંહ ઉર્ફે ભોલાભાઇ સુખદેવસિંહ ઘોઘુભા જાડેજાએ પોલીસને જાણ કરી હતી. પોલિસે સ્થળ પર પહોંચી મૃતકનો કબ્જો સંભાળી ચારેય જેમાં બે પુરુષ અને બે મહિલાનો સમાવેશ થાય છે તેની સામે હત્યા અને કાવતરાની કલમો હેઠળ ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.