Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકાની ચુંટણી માટે આજે ઉમેદવારો પોતાના ઉમેદવારી ત્રો ભરવા માટે જઈ રહ્યા છે, પણ દરેક ઉમેદવાર ઉમેદવારીપત્ર પહેલા ભગવાનને જીત માટે પ્રાર્થના કરે છે, અને પરિવારના અને રાજકીય માર્ગદર્શક એવા વડીલોના આશીર્વાદ પણ લે છે, ત્યારે ગતટર્મમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને બીજી વખત રીપીટ થયેલા વોર્ડ નંબર 3 ના ઉમેદવાર સુભાષ જોશીએ આજે પોતાના ઘરે ભગવાનની પૂજાઅર્ચના કરી અને માતા પિતાના આશિર્વાદ મેળવી અને પોતાની ઉમેદવારી નોંધાવવા માટે નીકળ્યા હતા, તેવોએ વાતચીતમાં તેમના વિસ્તારમાં તેમના દ્વારા થયેલા વિકાસકાર્યો અને શહેરના વિકાસકાર્યોની ગાથાઓ વર્ણવી અને વોર્ડ નંબર ત્રણની તેમની પેનલ ફરી વિજેતા બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
તે જ રીતે વોર્ડ નંબર 2 ના જયેન્દ્રસિંહ ઝાલાએ પણ આજે બીજી વખત મનપાની ચુંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવી… તેવોએ પણ પોતાના માતાના આશિર્વાદ લઇ ઘરે ભગવાનની પૂજા કરી અને જીતનો આશાવાદ વ્યક્ત કર્યો, જ્યારે વોર્ડ નંબર 8 ના ઉમેદવાર અને ગત ટર્મમાં શાશકજૂથના નેતા દિવ્યેશ અકબરી પણ ફોર્મ ભરતા પૂર્વે વડીલોના આશીર્વાદ લીધા હતા અને વોર્ડ 8 ની પેનલ ફરી જીતનો ડંકો વગાડશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો, એવા જ જામનગર રાજપૂત સમાજના અગ્રણી પ્રવિણસિંહ જાડેજાના પત્ની હર્ષાબા પ્રવીણસિંહ જાડેજા જેવો શિક્ષિત હોય અને તેવો ગતટર્મમાં નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય રહી ચુક્યા હોય તેવોને પણ વોર્ડ નંબર 15માંથી ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા હોય તેવોએ આજે વડીલોના અને માતાજીના આશિર્વાદ લઇ પોતાનું નામાંકનપત્ર ભર્યું અને જંગીલીડથી પેનલ જીતશે તેવો વિશ્વાસ વાતચીત દરમિયાન વ્યક્ત કર્યો.