Mysamachar.in-જામનગર
જામનગર કોર્પોરેશનની ચુંટણી માટે ઉમેદવારીપત્રો ભરાય ગયા છે અને હવે પ્રચારનો દોર ચાલે છે ત્યા વળી ચકચાર જનક અને સનસનીખેજ બાબત એ સામે આવી છે કે ભાજપના એક સિનિયર ગણાતા અને અમુક “મોટા” ની ખાસ નજીકના ગણાતા વોર્ડ નંબર 8 ના ઉમેદવારે સોગંદનામામા તેના ઉપરના ગુના છુપાવ્યા છે એટલે કે દર્શાવ્યા જ નથી તે બાબતે ચુંટણી અધીકારી સમક્ષ ગુના નંબર સાથે અરજી થઇ હોય ચોમેર એક જ ચર્ચા છે કે આ ગુના છુપાવનારનુ ફોર્મ રદ થશે કે શુ?
તેમજ ખોટુ સોગંદનામુ એ તો ફોજદારી ગુનો પણ બને છે માટે તેની સામે તાત્કાલીક ફોજદારી ચુંટણી અધીકારી નોંધાવશે? કેમ કે ચુંટણી અધીકારીની ફરજ પારદર્શી હોય તેને કોઇ પક્ષપાત ન હોય તેમજ તેઓ હિંમતવાળા હોય અને બાહોશ હોય તેમજ તેઓ તરત પગલા ન લે તો જિલ્લા ચુંટણી અધીકારી સુધી પણ મામલો જાય કેમકે અરજી કરનારનો દાવો છે કે આ બાબત રેકર્ડ પરની છે જો તે ખરેખર તેમજ હોય તો ખુબ ચકચારી તો ખરી શરમજનક પણ બાબત જાણકાર લોકો ગણે છે, જોકે કઇ પગલા ન લેવાય તો નિષ્ણાંતોનો અભિપ્રાય લઇ આ બાબતે વધુ પ્રકાશ પાડવાની તેમજ તબક્કાવાર લોકો વચ્ચે આ વિષય લઇ જવાનુ અમુક જાગૃત લોકોએ બીડુ ઝડપ્યુ હોય હવે આ વિષય રંગ લાવશે અને નવા નવા ફણગા ફુટતા રહેશે તેમજ લોકોને પણ તબક્કાવાર કઇક નવુ જાણવા મળશે
આ અંગે કઇક પગલા પાર્ટી પણ લે તેવી પણ અમુક સમીક્ષકોની માંગ છે કેમકે ભાજપ જેવી મોટી પાર્ટીને એ પોસાય જ નહી કે તેના સિનિયર ભરોસાવાળા જુના જોગી જાણીતા ઉમેદવાર એવા દિવ્યેશ અકબરી (પટેલ) સોગંદનામુ ખોટુ કરે….સ્વાભાવિક છે તેમાં પક્ષનુ નામ પણ બગડે ને?? તેમજ આ વિષય અનેક રીતે રજુ કરી શકાય તેમછે કેમકે જે ગુના અંગે અરજી થઇ છે તે સત્ય હોય ને રેકર્ડ ઉપર તે જ રીતે હોય તો આ ગુના અંગે જુદા-જુદા પ્રકાશ પડે કે લાંબો સમય થયા ગુના બાબતે કોઇ કાર્યવાહી થઇ નથી….!!?? તે પણ ભેદ ખોલવા પડે કે પગલા કે દંડ વગેરે કેમ વસુલ થયા નથી??
– ચુંટણી અધીકારીને થયેલી અરજી મુળ સ્વરૂપે
નરેન્દ્રસિંહ મુળુભા ચૌહાણ જે આ જ વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર છે તેને આ અરજી કરી છે કે દિવ્યેશભાઈ રણછોડભાઇ અકબરી (ઉમેદવાર વોર્ડ નં.8) દ્વારા નમુનો 23 વાળા સોગંદનામામાં માહિતી છુપાવી પ્રતિજ્ઞા ઉપર ખોટું કથન કરેલ છે. તેમજ ચુંટણી અધીકારી સમક્ષ તા.09/02/2021 ના રોજ ભાજપના દિવ્યેશભાઇ રણછોડભાઇ અકબરીનું ઉમેદવારી ફોર્મ મંજુર થયુ હતું .
હવે મુળ મુદો એ છે કે ભાજપના ઉમેદવાર દિવ્યેશભાઇ અકબરી દ્વારા જે સોગંદનામા નમુના નં. 23 મુજબ કરવામાં આવેલ તે ફોર્મ સાથે રજુ કરેલ હતું તે સોગંદનામું તા.05/02/2021 ના રોજ નોટરી સમક્ષનું હતું જે સોગંદનામું જોવામાં આવે તો તેમાં ઉમેદવાર દિવ્યેશભાઇ અકબરી દ્વારા માત્ર એક ગુન્હો જુગાર ધારા અન્વયેનો દર્શાવવામાં આવેલ છે પરંતુ ભાજપના ઉમેદવાર દિવ્યેશ સામે 2017 માં બે F.I.R. છે જેની માહિતી સોગંદનામામાં દર્શાવેલ નથી અને તેમના દ્વારા આ બાબતનું સોગંદ ઉપર ખોટું કથન કરેલ છે અને તે બે F.I.R. ની વિગત જોઇએ તો….
એક એ કે G.U.V.N.L. પોલીસ સ્ટેશનના સેકન્ડ ગુન્હા રજી. નંબર: 3389/17 થી દિવ્યેશભાઇ પટેલ (અકબરી) ઉપર લંગરીયું નાખી અનઅધિકૃત વિજ વપરાશ કરવાના ગુન્હાની F.I.R. નોંધાયેલ છે.
બીજુ G.U.V.N.L. પોલીસ સ્ટેશનના સેકન્ડ ગુન્હા રજી. નંબર: 3288/17 થી દિવ્યેશભાઇ પટેલ (કોર્પોરેટર) ઉપર કાયદેસ૨ જોડાણ ન હોય તેની F.I.R. નોંધાયેલ છે.
આ વિગતો દસ્તાવેજી પુરાવા સાથે પણ જોવામાં આવે તો ભાજપના સિનિયર ઉમેદવાર દિવ્યેશભાઇ અકબરી દ્વારા તા.09/02/2021 સુધી સુધારેલ સોગંદામું રજુ કરવાનું હોય છતાં કરેલ ન હોય અને અગાઉનું સોગંદનામું જોવામાં આવે તો તેમના દ્વારા ઉપરોકત બન્ને ગુન્હાઓની માહિતી ગુન્હાની સ્થિતિ છુપાવી ખોટું સોગંદનામું કરેલ હોય, ફોજદારી ગુનો હોય તો તેમના વિરૂદ્ધ તપાસ કરી ગુન્હો દાખલ કરવા તથા કાયદા મુજબ તેમના વિરૂદ્ધ ધોરણસર થવા નમ્ર અરજ નરેન્દ્ર સિંહ મુળુભા ચૌહાણે કરી છે.
– ગુનાના આક્ષેપીત ભાજપના ઉમેદવાર શુ કહે છે?
વીજચોરી ના બે ગુના જેમના સામે જીયુવીએનએલ પોલીસ સ્ટેશન સાતરસ્તા એટલે કે સાદીભાષામા જી ઇ બી પોલીસ સ્ટેશનમા ગુના નોંધાયાના નંબર સાથે ચુંટણી અધીકારી સમક્ષ ખોટા સોગંદનામા અંગે પગલા લેવાની અરજી થઇ છે તે બાબતે ભાજપના આ સિનિયર ઉમેદવાર દિવ્યેશભાઇનો mysamachar.in એ સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યુ હતુ કે આ વીજચોરીના ગુના અંગે મારી જાણમા કશુ નથી