Mysamachar.in-જામનગર:
જામનગર ઉતર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના લોકલાડીલા અને તરવરિયા અને શહેર જીલ્લામાં સારું નામ ધરાવતા અગ્રણી બિપેન્દ્રસિંહ જાડેજાને લોકોના આશીર્વાદરૂપી સમર્થન મળી ગયું છે, બિપેન્દ્રસિંહ જાડેજા શહેરની સૌથી મોટી વેપારી સંસ્થા જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ તરીકે તેમજ શહેરના સામાજીક આગેવાન તરીકે લોકોમાં જાણિતો ચહેરો છે. વિદ્યાર્થી કાળથી જ નેતૃત્વના ગુણ ધરાવતાં બિપેન્દ્રસિંહ કોંગ્રેસની વિચારધારા ધરાવે છે. અઢી દાયકાથી તેઓ કોંગ્રેસ સાથે સક્રિય રીતે જોડાયેલા છે. હાલમાં તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી તરીકેની જવાબદારી સંભાળી રહયા છે.
કોંગ્રેસ દવારા 78-જામનગર ઉતર વિધાનસભા બેઠકના ઉમેદવાર તરીકે બિપેન્દ્રસિંહ જાડેજાના નામની જાહેરાત કરાઈ તે જ દિવસથી તેઓ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા હતાં. જામનગર શહેરની બે સહિત જામનગર જિલ્લાની કુલ પાંચ વિધાનસભા બેઠકોમાં પાર્ટી દવારા સૌ પ્રથમ ટિકીટ બિપેન્દ્રસિંહની જાહેર કરવામાં આવી હતી. તેમણે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યુ ત્યારે વિશાળ રેલી યોજી હતી જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને વિશાળ પ્રમાણમાં મિત્રો, શુભેચ્છકો તથા સમર્થકો જોડાયા હતાં.
તેમણે જામનગર ઉતર બેઠકમાં સમાવેશ થતા તમામ વોર્ડનાં પગપાળા જઈ લોકસંપર્ક કર્યો હતો. જેનું આજે સમાપન થયું હતું. વોર્ડ નં. 1, 2, 3, 5, 6, 11 ઉપરાંત વોર્ડ નં.7, 8, 10, 12, 15,16 ના ચોકકસ બુથ વિસ્તારમાં તેમણે વાયુવેગે લોકસંપર્ક કર્યો હતો. તેમની આ વોર્ડયાત્રા દરમિયાન કોંગ્રેસના શહેર સંગઠનના હોદેદારો, એન.એસ.યુ.આઈ. ઓબીસી સેલ, લઘુમતી સેલ વગેરેના આગેવાનો, કાર્યકરો સાથે જોડાયા હતાં.
લોકસંપર્ક દરમિયાન ઠેર-ઠેર કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજાનું સ્વાગત કરી લોકોએ જાહેરમાં સમર્થન આપ્યું હતું. કેટલાક વિસ્તારોમાં લોકોએ મતદાન પહેલા જ જીતનો વિશ્વાસ વ્યકત કરી, મોં મીઠું કરાવી આગોતરૂં સન્માન કર્યું હતું. 78-જામનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાં રહેતા તમામ જ્ઞાતિ-ધર્મના લોકો, નોકરીયાત, વેપારી, ઉદ્યોગપતિઓ, વકિલ, પ્રોફેશ્નલ્સ, શ્રમિકો તરફથી બિપેન્દ્રસિંહ જાડેજાને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. ખાસ કરીને ગાંધીનગર વિસ્તારમાં કોંગ્રેસના રાષ્ટ્રિય પ્રવકતા અને રાજયસભા સાંસદ શક્તિસિંહ ગોહિલની જંગી જાહેરસભા બાદ બિપેન્દ્રસિંહ જાડેજા તરફી વાતાવરણ વધુ જામી રહયું છે.માય સમાચાર સાથેની વાતચીતમાં બિપેન્દ્રસિંહે કહ્યું કે મને લોકોના ઉમળકાથી જે આશીર્વાદ મળ્યા છે તે ઉમળકો જોતા લાગે છે કે આ વખતે ચોક્કસથી પરિવર્તનનો પવન ફૂંકાશે અને લોકોના આશીર્વાદ મને જ પ્રાપ્ત થશે.