Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકાની આજની સામાન્ય સભામાં પૂર્વ વિપક્ષ નેતા અને વોર્ડ નંબર 12ના જાગૃત કોર્પોરેટર અસ્લમ ખીલજીએ મનપામાં ભૂર્ગભ ગટર શાખાની તો જાણે પોલ ખોલીને રાખી દીધી હોય તેમ લાગ્યું….અસ્લમ ખીલજીએ આક્ષેપોની ઝડી વરસાવતા કહ્યું કે અમિત કણસાગરા કોન્ટ્રાકટરોને બચાવે છે, અને ભૂગર્ભના કોન્ટ્રાકટરોથી અમિતભાઈને પ્રેમ કાયમી રહે છે, (આવા કથિત આક્ષેપો તેમણે કર્યા છે) અને કહ્યું જ્યાં સુધી ઝોનલ અને ડેપ્યુટી વ્યવસ્થિત નહિ મુકાય તો આવી જ સ્થિતિ રહેશે,
અને થવા જોઈતા યોગ્ય રીતે ના કામો ન થયા હોવાથી મોટી સમસ્યા ઉદભવી છે, અને અધિકારીઓ માત્ર કોન્ટ્રાકટરોને છાવરવાનું કામ કરવામાં આવે છે, અને કંટ્રોલીંગ અધિકારીની સુચનાની પણ અમલવારી કરવામાં નથી આવતી…અને જામનગર શહેરમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર જો કોઈ જગ્યાએ થતો હોય તો ભૂગર્ભ શાખામાં જ ભ્રષ્ટાચાર થતો હોવાનો ખુલ્લો કથિત આરોપ અસ્લમ ખીલજીએ કર્યો છે. અને આવી પાર્ટીઓ જે મનમાની કરે છે તેને બ્લેકલીસ્ટ કરવાની માંગ પણ અસ્લમ ખીલજીએ કરી છે.
-આ અંગે શું કહે છે અમિત કણસાગરા
તટસ્થતાના ભાગરૂપે my samachar દ્વારા મનપાની ભૂગર્ભ ગટર શાખાના અમિત કણસાગરાની પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેને કહ્યું કે આ તમામ આક્ષેપો પાયાવિહોણા છે.આ વિસ્તારમાં ત્રણ પ્રકારના કામ કરવાના હતા, જે આક્ષેપ છે તે એજન્સીને અમે કોઇપણ પ્રકારનું ચુકવણું પણ કરેલ નથી, યોગ્ય રીતે કામ નહોતું થતું એટલે અમારા સ્ટાફે તેનું ધ્યાન દોરી અમે જ કામ બંધ કરાવ્યું હતું, અને અમે તો કોન્ટ્રાકટરોને ઘણી નોટીસો પણ આપી છે.