Mysamachar.in-જામનગર:
જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આહીર સમાજનું જબરું વર્ચસ્વ છે, અને રાજકારણ થી માંડીને તમામ ક્ષેત્રમાં આહીર સમાજના લોકો જોડાયેલા છે, ત્યારે વર્ષોથી ગાંધીનગર ખાતે રહેતા અને મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભંડારિયા ગામના ભીમશીભાઈ ખોડભાયાની વરણી અમદાવાદ-ગાંધીનગર આહીર સમાજના પ્રમુખ તરીકે થતા હાલારના આહીર સમાજમાં હર્ષની લાગણી છે.
ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર મહાનગરના બક્ષીપંચ મોરચાના પુર્વ પ્રમુખ ભીમશીભાઈ ખોડભાયાની અમદાવાદ આહીર સમાજ (અમદાવાદ-ગાંધીનગર) ના નવનિયુક્ત પ્રમુખ તરીકે નિમણુંક થતા તેમના પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે, અત્રે એ મહત્વનું છે કે અમદાવાદ–ગાંધીનગરમાં સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી ત્યાં વસવાટ કરતા અંદાજે 3000 થી વધુ ઘરો આહીર સમાજના છે, જેમાં મોટાભાગના આહીર સમાજના લોકો વ્યવસાય અને સરકારી કર્મચારીઓ હોવાનું ભીમશીભાઈએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું.