Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લામાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે, જે રીતે પ્રાથમિક વિગતો સામે આવી રહી છે તે પ્રમાણે જામજોધપુર તાલુકાના નાની ભરડકી ગામે આજે પડોશમાં જ રહેતા પરિવારે અન્ય પરિવારના સભ્યો પર દિવાલમાં નુકશાન બાબતે કોઈ બોલાચાલી થઇ જેમાં પાડોશમાં રહેતા તેના દૂરના કુટુંબી ત્રણ શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો આ ઘટનામાં જયંતીભાઈ સાંગાણીનું ગંભીર ઈજાઓ થવાથી મોત નીપજ્યું છે. જયારે તેના પરિવારના અન્ય 3 સભ્યો ઈજાગ્રસ્ત છે જેની જામનગર જીજી હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. શેઠવડાળા પોલીસે સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.