Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકાના તાજેતરમાં સામે આવેલ અહેવાલમાં નજર કરવામાં આવે તો સ્લમ શાખા સામે શંકા ઉપજાવતી કેટલીક બાબતો સામે આવી છે, અને કહીએ ને કે ઓડીટ વિભાગે સ્લમ શાખાની ઘોર ખોદી નાખી હોય તેમ લાગે છે, એવામાં તત્કાલીન સ્ટેન્ડીગ કમિટી ચેરમેન પણ ગંભીર નોંધ કરેલ છે કે…. સ્લમ શાખા આવાસ યોજના સીકયોરીટી અંગે, શૌચાલય વિહોણા કુટુંબને શોચાલય સહાય અંગે પે એન્ડ યુઝ ટોયલેટ બ્લોકના કામો અંગે, આવાસ બનાવવાના કામ અંગે, ઇવા પાર્કમાં બનેલ આવાસો અંગે જણાવેલ ક્ષતિઓ અંગે તાકીદે કાર્યવાહી કરવાની રહેશે. તેમજ શાખા દ્વારા જે તે રેકર્ડ કે માહિતી ૨જુ ન થવા અંગે જણાવેલ પારા અંગે ગંભીર નોંધ લેવામાં આવે છે. જો રેકર્ડ રજુ ન થાય તો જવાબદારો સામે પગલા લેવાના રહેશે.પણ પગલા ક્યારે અને કોણ કોના પર લેશે તે જોવાનું છે,
-આવાસ યોજનાના ખરા લાભાર્થીઓનું વપરાશનું લીસ્ટ કેમ નહોતું આપ્યું..
સ્લમ હાઉસીંગ શાખા હસ્તક 1404 આવાસ, વામ્બે આવાસ, મુખ્યમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, આઈએચએસડીપી આવાસ યોજના અન્વયેના આવાસો અન્વયે યોજનાની ગાઇડ લાઇન મુજબની અમલવારી અને પાત્રતા અને તે મુજબ લાભાર્થીઓને એલોટમેન્ટ અને વપરાશ અંગે છેવટની પરિસ્થિતિ મુજબનું વેરીફીકેશન અંગે કોઇ વિગતો ઓડીટ અહેવાલમાં જણાવેલ નથી. (કેમ ભાઈ આવું શા માટે કોનું હિત આમાં સમાયેલું છે) શા માટે ખરા લાભાર્થીઓ જ આ આવાસોમાં રહે છે તે જાહેર કરવામાં નથી આવતું તે શંકા ઉપજાવનારું છે, જે બાબતે સ્થળ વેરીફીકેશન કરાવી તે અંગેનો વેરીફીકેશન રીપોર્ટ કમિટી સમક્ષ રજુ કરવાના આદેશ પણ થયાનું જાણવા મળે છે.