Mysamachar.in-જામનગર
જામનગર કોર્પોરેશનમાં ભુગર્ભ શાખાના જુ. ઇજનેર અને ઇ.ચા.ડેપ્યુટી ઇજનેરને કાર્યપાલક થવાના ઓરતા અધુરા રહ્યા બાદ મલાઇ શોધવાની ટેવ પડી ગઇ હોય ક્યાક વધુ મોટા કામ હોય તેવી બ્રાંચમા જઇ ગમે તેમ કરી લાભ લેવા પેરવી કરી રહ્યાનુ જગજાહેર થયુ છે, ત્યારે તેના આ કારસા સામે ઠેર ઠેર થી વિરોધ થઇ રહ્યો છે તેમાં વધુ એક વિરોધ ઉઠ્યો છે જેમાં જણાવાયા મુજબ જો આવુ થશે તો આંદોલન છેડાશે તેવી ચીમકી પણ અપાઇ છે,જામનગર મહાનગર પાલિકા ભૂગર્ભ શાખાના અમીત કણસાગરાના એક મલાઈવાળી જગ્યાએ થી બીજી મલાઇવાળી જગ્યામાં નીમણુંકની ગોઠવણની તડામાર તૈયારી સામે ઉગ્ર આંદોલન કરવાની વિપક્ષના એક સભ્યએ કમિશનરને લેખીત આપ્યુ છે.
જેમાં વધુમાં જણાવ્યા મુજબ ભૂગર્ભ શાખામાં નીમણુંક તારીખથી આજ દિવસ સુધી ચીટકીને રહેતા અને કરોડોના ભષ્ટ્રાચારી કોભાંડી અમીત કણસાગરા ની અત્યાર સુધીમાં મનપાની એક પણ બ્રાંચમાં બદલી કરવામાં આવેલ નથી અને વ્હાલા દવલાની નીતિ રાખવામા આવેલ છે કારણ કે અમીત કણસાગરાની એક રાજકીય અધિકારી તેમજ પદાધિકારી સાથે ભાગીદારી છે અને કમાઉ દીકરા તરીકે છાપ ધરાવવા આ ચાપલુસિયા અધિકારીની અન્ય શાખામાં બદલી અંગેની રજૂઆત કમીશનરને વિપક્ષ સભ્ય દ્વારા રજૂઆત કરી હતી તેવો આક્ષેપ કરી બીજી પણ રજુઆત પણ કર્યાનુ ઉમેર્યુ છે.
ભૂગર્ભ શાખામાં વર્ષોથી ફરજ બજાવતા વિવાદીત અમીત કણસાગરા ને ભૂગર્ભમાથી બદલાવીને મનપાની વોટરવર્કસ શાખા અથવા તો સોલીડ વેસ્ટ શાખામાં બદલી કરવી જોઈએ પરંતુ સૂત્રોમાથી મળતી માહિતી મુજબ આ વિવાદીત અમીત ને મામા મૂકીને માસી બનાવવા બેઠા હોય અને એક મલાઈવાળી જ્ગ્યાએથી બીજી મલાઇ વાળી જ્ગ્યામાં નીમણુંક ની ગોઠવણની તડામાર તૈયારીચાલુ છે, તે લોકશાહીમાં ખુબજ ગંભીર બાબત ગણાય અને હાલ જોતાં શહેરમાં ભૂગર્ભના નવા કામ નહિવત હોય અને સરકારની વિકાસના મોટા મોટા કામોની જાહેરાત ના પગલે ચાપલુસિયા અને સેટીંગ બાજ અમુક અધિકારી અને પદાધિકારી ગેલમાં આવી ગયા હોય.
તેમ પોતાના માનીતા અધિકારીને મનપસંદ કમાણીની જગ્યામાં ફિટ કરવા નવા નવા પેતરા અજમાવતા અચકાતા નથી તેમાય ખાસ કરીને પ્રોજેકટ પ્લાનિંગ-ટાઉન પ્લાનિંગમાં વિકાસ કામની બજાર ખૂલતાં અમુક વરસાદી દેડકાઓએ બહાર નીકળી ને અમીતની ગોઠવણની ગતિવિધી ચાલુ કરેલ છે, પરંતુ જો અમિત કણસાગરા ને ઉપર જણાવેલ જગ્યામાં જો નિમણૂંક આપવામાં આવશે તો ના છૂટકે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે જેની ગંભીર નોંધ લેવી અન્યથા કોઈ પણ બનાવ બનશે તો તેની તમામ જવાબદારી કમિશનરની રહેશે તેમ પણ આ વિપક્ષી સભ્ય એ જણાવ્યુ છે.