Mysamachar.in-જામનગર
ભલે વરસાદમાં જામનગર જિલ્લાને રાહત મળી હોય પણ છેલ્લા બે દિવસ થી જીલ્લાના અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટા સાથે વીજળી પડી રહી છે, અને તેને કારણે માનવજીવ અને પશુજીવ મોતને ભેટી રહ્યા છે, હજુ તો પરમ દિવસે જ જામજોધપુર તાલુકાના વનાણા ગામે વીજળી પડતા સસરા અને પુત્રવધુના મોતની ઘટના બાદ ગતસાંજે ફરી એક વખત આકાશી વીજળી એક યુવકનો ભોગ લીધો છે આ ઘટનામાં કાલાવડ તાલુકાના શીશાંગ ગામે વસવાટ કરતા રવિરાજસિંહ ઉદુભા જાડેજા નામના 32 વર્ષીય યુવક પોતાની વાડીએ થી ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે અચાનક તેના પર આકાશી વીજળી પડતા તેનું મોત નીપજ્યાનું સારવાર દરમિયાન મરણ ગયાનું કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકે જાહેર થયું છે.