Mysamachar.in-જામનગર
જામનગર કોર્પોરેશનમા ગ્રાંટ સહિતના મહત્વના મુદે કોઇ વિગત રજુ ન થતી હોવાનો અતિશય સેન્સેટીવ મુદો ઓડીટ રિપોર્ટમા નોંધાતા ચકચાર મચી છે અને જવાબદાર ચીફ એકાઉન્ટ સામે આ મામલે ગંભીર પગલા તોળાય તેવી જોગવાઇઓ છે ત્યારે તેવુ થાય છે કે કેમ? તે જોવાનુ છે. વર્ષ 18-19 દરમ્યાન મહાત્મા ગાંધી સ્વચ્છતા અભિયાનની 134 કરોડ, સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ પાણી ભુગર્ભ વગેરે કામ માટે 400 કરોડ, જનભાગીદારીથી કરવાના કામ માટે 166 કરોડ, આંતરમાળખાકીય કામ માટે 365 કરોડ, અમૃત યોજનાની 370 કરોડ 14 મા નાણાપંચની 161 કરોડની ગ્રાંટ મળી તે સિવાયની પણ મળી જંગી રકમ આવી પરંતુ તેમાંથી કેટલી વપરાઇ કેટલી પડી છે. કેટલી લેપ્સ ગઇ?? વગેરે ગંભીર મુદા ચીફ એકાઉન્ટન્ટે ઓડીટમા સબમીટ કર્યા જ નહી તેમજ ઓડીટે પેરા કાઢ્યા છતા પુર્તતા નકરી ત્યારે પ્રશ્ન એ છે કે એના કોઇ ઉપરી છે કે નહી?? કોઇ તેનો ખુલાસો માંગી શિક્ષાત્મક પગલા લેનાર છે કે નહી?? આમને આમ વર્ષોથી નાણા જેવા મામલે કેમ ગંભીરતા લેવાતી જ નથી તે બાબતે સરકારમા પ્રકરણ જવુ જ જોઇએ.
-સ્ટેન્ડીંગનો આદેશ 90 દિવસમા જવાબ માંગ્યો
ચીફ એકાઉન્ટન્ટે ગ્રાંટ પત્રક રજુ ન કર્યા ઉપરાંત ઓડીટને બેલેન્સ શીટ ન આપી દેવા પત્રક રજુ ન કર્યુ આખરીસીલક ને કેશબુક રજુ ન કર્યા કાયદા મુજબ અઠવાડીક આવક ખર્ચ રજુ ન કર્યા એટલુ જ નહિ 18-19 ના ઓડીટ માટે રજુ નથી કર્યુ એવુ નથી દરવર્ષે રજુ જ નથી કરાતા માટે સ્ટેન્ડીંગ કમીટીએ 90 દિવસમા તમામ વિગતો સાથે જવાબ આપવા ઠરાવ કર્યો છે જોકે આવા ઠરાવ દરવર્ષે થાય જ છે છતાય જવાબ ન અપાતા હોય હવે પગલા લેવાના જ બાકી રહે છે.