Mysamachar.in-ગાંધીનગર
ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષકો ને 4200 ગ્રેડ પે મુજબ પગારધોરણ આપવાની જાહેરાત તારીખ 17 જુલાઈ ના રોજ કરવામાં આવી હતી.આ જાહેરાત પછી સરકાર દ્વારા વહેલી તકે આ બાબત નો નિર્ણય લઈ ને ઠરાવ પ્રસિદ્ધિ કરવાની ખાત્રી આપી હતી. સરકાર દ્વારા કરાયેલી જાહેરાત અનુસંધાને કમિટી એ સરકાર ને પોતાનો અહેવાલ આપી દીધો હોય પરંતુ સરકાર દ્વારા વિલંબ કરવામાં આવી રહ્યો હોય આ માટે શિક્ષકો માં સરકાર પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે. ત્યારે આ મામલે સરકાર દ્વારા કરાયેલી જાહેરાત મુજબ નિર્ણય જાહેર કરવા ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ શ્રી ચંદ્રકાંત ખાખરિયા અને મહામંત્રી મનોજ પટેલ દ્વારા નાય મુખ્ય મંત્રી તથા શિક્ષણ મંત્રી ને આજે રૂબરૂ રજૂઆત આપી શિક્ષકો ને તાત્કાલિક ન્યાય આપવા માંગ કરી છે.
ગુજરાત રાજ્ય સરકાર ની વિવિધ મીટીંગો માં ગુજરાત સરકાર ના મંત્રી શ્રી અને અધિકારીઓ સાથે ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ ના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા .આ સંજોગો માં તત્કલિક યોગ્ય ઉકેલ લાવવો એ સરકાર ની નૈતિક ફરજ છે.વિશેષ માં સદર પ્રશ્ન રાજ્ય ના 65000 જેટલા પ્રાથમિક શિક્ષક ને લાગુ પડતો હોય એમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઓ ના પણ અંદાજિત 8000 જેટલા શિક્ષકો નો સમાવેશ થતો હોય ત્યારે સરકાર દ્વારા થઈ રહેલ વિલંબ તાત્કાલિક દૂર કરવો જોઈએ એવી શિક્ષકો ની માંગ છે.