Mysamachar.in-જામનગર
વર્ષ 2013માં જામનગર શહેરની આસપાસ આવેલ કેટલાય વિસ્તારો જામનગર મહાનગરપાલિકામાં ભળી ગયા… પણ આ સોસાયટીઓમાંથી મોટાભાગના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે, (હા ક્યાંક કામો થયા પણ હશે) પરંતુ જે વિસ્તારોમાં સુવિધાઓનો અભાવ છે ત્યાના સ્થાનીકોમાં મનપાની ચુંટણી પૂર્વે રોષ ફાટી નીકળ્યો છે, આવો જ એક વિસ્તાર જામનગર શહેરમાં આવેલ છે, જયાના 200 થી વધુ સ્થાનિકોએ સહી કરી પ્રાથમિક સુવિધાઓના કામો બાબતે કમિશ્નર અને જામનગર શહેરના બન્ને મંત્રીઓને યોગ્ય થવા રજૂઆત કરી છે,
હરિયા કોલેજથી આગળ જતા સાંઢીયાપુલ સામે, માધવબાગ પાછળ દ્વારકેશ ૩ સોસાયટી, શેરી નં 5, રહેવાસીઓ જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યું છે કે અમારો વિસ્તાર વોર્ડ નં 8, 78 જામનગર મત વિસ્તારમાં આવે છે. અમો સોસાયટીમાં છેલ્લા 6 વર્ષથી વસવાટ કરીએ છીએ. અવાર નવાર મૌખિક તેમજ ઓનલાઈન ફરીયાદ કરેલ છે. તેમ છતાં અહી ગટરના પાણીના નિકાલ અંગે કોઈ વ્યવસ્થા થયેલ નથી. તેથી વારંવાર ગટરનાં પાણી રોડ પર આવે છે. અને ગંદકી મચ્છરના કારણે માંદગીના અનેક પ્રશ્નો ઉદભવે છે.ભૂર્ગભ ગટર ઉપરાંત સફાઈ અને રસ્તાના પ્રશ્નો પણ આ વિસ્તારના સ્થાનિકોને કનડગત કરી રહ્યા હોય સ્થાનિકો દ્વારા યોગ્ય થવા રજૂઆત કરાઈ છે.