Mysamachar.in-જામનગર
જામનગર મનપા વિપક્ષ નેતા અને કોંગી અગ્રણી હાલ વોર્ડ નંબર 12ના કોંગી કોર્પોરેટર અલ્તાફ ખફી કોરોના મહામારીમાં પોતાની સતત સક્રિય ભુમિકા અદા કરી રહ્યા છે, સ્વખર્ચે કોવીડ કેર સેન્ટર બનાવી તેમાં દર્દીઓને સારવાર આપાવી રહ્યા છે, તો જરૂરિયાતમંદ લોકોને જોઈતી મદદ પણ તેવો કરી રહ્યા છે, અને તંત્ર સુધી અને છેક ગાંધીનગર સુધી જરૂરી રજુઆતો પણ કોરોના મહામારી સંદર્ભે તેમના દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારે તેવોએ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસને સંબોધીને એક વિસ્તૃત રજૂઆત કરી છે તેમાં જણાવ્યું છે કે…
ભારતભરમાં અને ગુજરાતમાં કોરોના મહામારી અન્વયે વહીવટીતંત્રની બેદરકારી અણઆવડત અને કામમાં લાપરવાહીના કારણે શહેરીજનોને પડતી હાલાકી અને મુશ્કેલીના પરિણામે લોકોને પારાવાર યાતનાઓ ભોગવી પડે છે. તેમજ આવી બેદરકારીના કારણે મૃત્યુ દર દિવસેને દિવસે વધી રહ્યો છે. જેમાં જામનગરમાં છેલા 15 દિવસમાં દરરોજના કંમ્પારી છૂટી જાય તેવી પરિસ્થિતિ છે.મૃત્યુના આંકડાઓ જે બહાર પડે છે તેને જોતા લાગે છે,
જામનગરમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જી.જી.હોસ્પિટલ જે સરકારી હોસ્પિટલ છે. તેમાં બેડની સંખ્યા વધારવા છતાં 1200ની સામે અત્યારે 1900 ઉપરાંતના દર્દીઓથી હોસ્પિટલ ફૂલ થઇ ગયેલ છે. આ ઉપરાંત અન્ય હોસ્પિટલમાં પણ કોવીડ સેન્ટર ચાલુ કરી ત્યાં પણ સારવાર આપવામાં આવી રહી છે. છતાં હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાંબી લાઈનો યથાવત છે, તે દર્શાવે છે કે હોસ્પિટલતંત્ર અને સરકાર કોરોનાની મહામારીમાં પગલા લેવામાં નિષ્ફળ ગયેલ છે.
હોસ્પિટલ બહાર લાંબો સમય એમ્બ્યુલન્સમાં લાંબો સમય રાહ જોયા પછી પણ ક્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં કોઈ ખાત્રી થતી નથી. ઘણા કિસ્સાઓમાં એમ્બ્યુલન્સમાં જ દદી મૃત્યુ પામે છે, શહેરોની હોસ્પીટલમાં દાખલ થતા દર્દીઓ ઉપરાંત કોરોનાના દર્દીઓને ઘરે રહેવા એટલે કે હોમ આઈસોલેટેટ રહેવા સુચના આપવામાં આવે છે. પરંતુ ઘરે ઈમરજન્સી ઉભી થાય. દરેકના ઘરે પુરતી મેડીકલ સાધનો હોય તેવું સ્વભાવિક ના હોય. આથી છેવટે ઈમરજન્સીના કિસ્સાઓમાં જે તે હોસ્પિટલ હાથ ઉચા કરી દેતા. ના છુટકે આવા દર્દીઓનો વહીવટી તંત્રની બેદરકારીના હિસાબે કાતો મોંઘી સારવાર માટે અમદાવાદ કે ગાંધીનગર લઇ જવા પડે.
હોસ્પિટલની આજુબાજુ દર્દીઓ માટે પૂરતા ફળો પૌષ્ટિક ખોરાક મળી રહે તે માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા સામાજિક જવાબદારી ગણી રાહત કાર્યોની જેમ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. તે બિરદાવવાલાયક છે, પરંતુ વહીવટી તંત્ર દ્વારા દર્દીઓના સગાવાલાઓ અને સેવાભાવી કાર્યકરોને પણ નિયમોને જડતાને નામે હેરાનગતિ થાય છે. હોસ્પિટલ સામેની દુકાનો સોશિયલ ડીસ્ટન્સના નામે બંધ કરી દેવામાં આવેલ છે. જેથી દર્દીઓને ચા, પાણી, દૂધ, ફુટ, જ્યુસ, જેવી વસ્તુઓ મળતી નથી. અને કેટલાક લેભાગુઓ આવી મજબુરીના લાભ લઇ ઉચા ભાવે વહેચાણ કરી રહ્યા છે.
શહેરમાં અલગ-અલગ જગ્યાએ રસીકરણના કેમ્પો કરવામાં આવેલ છે. તે કેમ્પો ફક્ત મહાનુભાવોના ફોટોસેસન બની રહે છે. છેલ્લા કેટલાક વખત થી કિટના અભાવે ટેસ્ટીંગ ઓછા થઇ ગયેલ છે. જેની મહાનગરપાલિકા ના ડે.કમિશ્નર જેવા અધિકારીને પણ જાણ નથી. આ બાબતે સમાચાર માધ્યમોએ કાને પકડી અહેવાલ પ્રસિદ્ધ કરતા અને આ બાબતની જાણ નથી. તપાસ કરાવું છું. અવો જવાબ આપેલ છે. આમ સેનાપતિને ખબર જ નથી કે લશ્કર ક્યાં લડે છે. ઉપરાંત રસીકરણ ના કેમ્પો કે ટેસ્ટીંગ કે કોવીડ સેન્ટરો જે ઉભા કરવામાં આવે તેમાં કોઈપણ જાતિના કે જ્ઞાતિના ભેદભાવ વિના દરેકને લાભ મળવો જોઈએ. કોઈ જ્ઞાતિ કે ચોકકસ વ્યક્તિઓના લાભાર્થીના માટે આવી કામગીરી ન થવી જોઈએ. 45 વર્ષથી ઉપરના અને ત્યારબાદ હાલે શરુ થયેલ 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓને કોરોનાની રસી અંગે પૂરતી રસી પ્રાપ્ય ન થવાના કારણે અવાર નવાર વ્યવસ્થા ખોરવાઈ જાય છે.
જામનગર શહેરની જી.જી. હોસ્પીટલ ઉપરાંત અન્ય હોસ્પીટલોમા અવાર નવાર ઓકસીજનોનો પુરવઠો પૂરો થઇ જવાની અણી ઉપર આવતા કે ઓક્સીજન ટેન્કરમાંથી ઓકસીજન ટેકમાં ફીલિંગ કરતી વખતે ઓક્સિજનની માત્રામાં વધઘટ થતા દર્દિઓના મોત થાય છે. આ બેદરકારી પણ સામે આવેલ છે. તેમજ હોસ્પિટલોમા ડોકટરોની સામે પેરામેડીકલ સ્ટાફ ઉપરાંત એટેન્ડન્સ તરીકે વિશાળ જરૂરિયાત ઉભી થતા ગમે તે વ્યક્તિઓને એટેન્ડન્સ તરીકે કોન્ટ્રાક્ટ થી રાખવામાં આવે છે. આવા બિન અનુભવી એટેન્ડન્સના હિસાબે ઘણી વખત તેઓની અનઆવડત ના હિસાબે પણ દર્દીઓની સ્થિતિ ગંભીર બની જાય છે.આમ મુદ્દાસરની રજૂઆત અલ્તાફ ખફી દ્વારા કરાઈ હોવાનું તેમની અખબારી યાદી પરથી જોવા મળે છે.
-કોવીડ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સ ચાલકોની ઉઘાડી લુટ
જી.જી.હોસ્પિટલની આજુબાજુ ખાનગી એમ્બ્યુલન્સોએ આફતને અવસર માનીને ભાડામાં ઉઘાડી લુટ ચાલુ કરેલ છે. સમાન રીતે 10, 12, કે 15 કિમી એટલા સ્થળનું ભાડું પણ 5000 હજાર થી 10,000 હજાર રૂ. અને અમદાવાદ સુધીનું ભાડું 50,000 હજાર થી 60,000 હજાર રૂ.લેવામાં આવે છે. બહુ વખાણાયેલી 108 માં કોલ ગયા બાદ 4 કે 5 કલાકે 108 મળે છે. આટલા લાંબા સમય દરમિયાન દર્દીની પરિસ્થિતિ કેવી ગંભીર બની જાય ને પરિવારજનોની શું હાલત થાય. તે સમજી શકાય તેવી બાબત છે.
-બે સ્મશાનો પણ ઓછા પડે છે તેવી સ્થિતિ
જામનગર શહેરના બે હૈયાત સ્મશાનો પણ મૃતદેહોનો અગ્નિદાહ આપવામાં ટૂંકા પડે છે. હાલમાં જ બીજા સ્મશાનમાં બીજી ઈલેક્ટ્રિક ફર્નેસ ગોઠવી બીજી ભઠી કાર્યરત કરવામાં આવેલ છે. તે પણ ટુકી પડતી હોય જામનગર નજીક નાઘેડી ખાતે ત્રીજું સ્મશાન શરુ કરવું પડેલ છે. આમ ત્રણ સ્મશાન હોવા છતાં મૃત્યુદર ખુબજ ઉંચો હોય અને સ્મશાન મૃતદેહો આવવા ચાલુ જ હોયઅને તેમા પણ લાંબુ વેઈટીંગ લીસ્ટ રહેતું હોય નજીકના ગામડામાં સ્મશાનમા પણ અગ્નિદાહ આપવો પડે છે.