My samachar.in : જામનગર
જામનગર જીલ્લામાં તા.13/09/2021 ના રોજ ભારે અતિવૃષ્ટિના કારણે જામનગર જિલ્લામાં પાક તથા જમીન અને પશુ તેમજ ખેડૂતોને માલમિલકતને ખુબ જ નુક્શાન થયેલ હતું.પરંતુ નુકશાનીના પ્રમાણમાં નુકશાનીની સહાય ચુકવવામાં નેતાગીરી વામણી પુરવાર થઇ હોવાની મુદ્દાસર અખબારી યાદી જામનગર જીલ્લા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ વશરામ રાઠોડ જાહેર કરી છે તે મુદ્દાઓ પર નજર કરવામાં આવે તો SDRF ના તા. 27/04/2015 માં ઠરાવ ક્રમાંકમાં બનાસકાંઠા તથા પાટણ જીલ્લામાં આવેલ 2017 ના પુર વખતે તે વિસ્તારના લડાયક નેતા શંકર ચૌધરીએ સુધારો કરાવી તા. 10-08-2017 ના રોજ સહાય દરોમાં વધારો કરવાનો ઠરાવ કરાવેલ.
જામનગર જીલ્લામાં જે સહાય પાક નુકસાની ચુકવવામાં આવેલ તે 1 હેક્ટરદીઠ 13000 ચુકવવામાં આવેલ અને 2 હેક્ટરની મર્યાદામાં ચૂકવેલ તારીખ:- 27/04/2015ના ઠરાવ મુજબ પિયત વિસ્તારમાં 1 હેક્ટરદીઠ 13500 ચુકવવામાં આવે છે. તેમાં પણ રૂ. 500 એક હેક્ટરદીઠ ઓછા આપવામાં આવેલ પાક નુકસાની સહાય 13500 પર હેક્ટર ચુકવવામાં આવતાં હતા તેમાં રૂપિયા 6500નો વધારો કરીને 20,000 પ્રતિ હેક્ટર કરવામાં આવેલ અને બે હેક્ટર દીઠ 40 હજાર ચુક્વેલ તેમજ બહુવર્ષાયુ પાક નુકસાનીમાં 18 હજાર થી વધારીને 30 હજાર પ્રતિ હેક્ટર કરીને બે હેક્ટરની મર્યાદામાં 60,000 ચૂકવેલ જેની સામે જામનગર જીલ્લામાં 2 હેક્ટરના 26,000 ચૂકવેલ.
જમીન ધોવાણનું નુકસાન જામનગર જિલ્લામાં ચૂકવેલ નથી તેની સામે બનાસકાંઠા તથા પાટણ જીલ્લામાં જમીન ધોવાણ કિસ્સામાં બે હેક્ટર સુધીની જમીન ધરાવતા ખેડૂતોને એસડીઆરએફમાંથી 12,200 પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવતી હતી. તે વધારીને સહાયની કુલ રકમ 30,000 પ્રતિ હેક્ટર કરવામાં આવેલ અને વધારાનો 17,800 પ્રતિ હેક્ટરનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવેલ હતો જમીન ધોવાણમાં નદીનું વહેણ બદલાઈ જવાના કારણે નકામી બની ગયેલ હોય તે વહેણમાં ભારે જમીન ધોવાણ થયું હતું તેવા કિસ્સામાં બે હેક્ટર સુધી જમીન ધરાવતા ખેડૂતોને એસડીઆરએફ માંથી 37,500 પ્રતિ હેક્ટરની સહાયમાં વધારો કરાવી ને કુલ રકમ 80 હજાર પ્રતિ હેક્ટર કરવામાં આવેલ અને હેક્ટર દીઠ રૂપિયા 42,500 વધારાનો ખર્ચ રાજ્ય સરકારે ભોગવ્યો હતો.
જમીન ધોવાણના કિસ્સામાં નદીનું વહેણ બદલાઈ જવાના કિસ્સામાં SDRF માંથી બે હેક્ટર સુધીની જમીન ધરાવતા ખેડૂતોને જ સહાય મળવાપાત્ર નથી આથી બે હેક્ટર થી વધારે જમીન ધરાવતા ખેડૂતોને પણ બે હેક્ટરની મર્યાદામાં જમીન ધોવાણના કિસ્સામાં 30 હજાર પ્રતિ હેક્ટર અને નદીનું વહેણ બદલાઈ જવાથી ભારે જમીન ધોવાણના કિસ્સામાં રૂ. 80,000 પ્રતિ હેક્ટરની સહાય આપવાનું ખાસ કિસ્સા તરીકે કરાવવામાં આવેલ અને આવા બે હેક્ટર થી વધારે જમીન ધરાવતા ખેડૂતોને કિસ્સામાં સહાય અંગેનો સંપૂર્ણ ખર્ચ મુખ્યમંત્રી રાહત નિધિમાંથી ભોગવવામાં આવેલ તેમજ માલધારી તેમજ ખેડૂત ભાઈઓના પુરમાં પશુઓ તણાઈ ગયા હતા અને જેની ડેડબોડી મળેલ ન હતી તેવા પશુઓની પણ પંચરોજ કામ કરાવીને બનાસકાંઠામાં તેમજ પાટણમાં ચુકવવામાં આવેલ હતી
જયારે જામનગર જિલ્લામાં ચુકવવામાં આવેલ નથી અને દુ:ખની વાત એ છે કે કૃષિમંત્રી આપણા જીલ્લાના હોવા છતાં ચુકવવામાં આવેલ નથી. ખરેખર એક ખેડૂત આગેવાન તરીકે શંકર ચૌધરી ને અભિનંદન આપું છું તેઓ જો પોતાના વિસ્તારમાં સહાયમાં વધારો કરાવી શકતા હોય તો કૃષિમંત્રી આપણા જીલ્લાના છે અને તેમના મત વિસ્તાર 77 જામનગર ગ્રામ્યમાં આખા ગુજરાતમાં વધારેમાં વધારે નુકસાન થયેલ હતું એવા ગામો વાગડિયા, આણદા, ભાદરા, કુનડ, બાદનપર તથા જોડીયા જેવાં અનેક ગામોમાં ખેડૂતોની જમીન ધોવાઇ ગયેલ અને પાકને તેમજ માલમિલકત પશુ વગેરેને વ્યાપક નુકસાન થયેલ હતું. પરંતુ પશુ તથા પાક નુકસાની સહાય સિવાય ખેડૂતોને અન્ય કોઈ સહાય ચુકવવામાં આવેલ નથી. ઊંડ નદી કાંઠે આવેલ જોડીયા તાલુકાના ગામડાઓમાં ખુબજ જમીનનું ધોવાણ થયેલ છે પરંતુ સહાય ચુકવવામાં આવેલ નથી અને નેતાઓ ઊંડ નદીમાંથી રેતી ઉપાડવાના પટ્ટા મંજુર કરાવીને માલ બનાવવામાં વ્યસ્ત હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે પણ અનદાતા એવા ખેડૂતોને જમીન ધોવાણ સહાય ચુકવવામાં રસ નથી.તેવો સનસનીખેજ આક્ષેપ વશરામ રાઠોડે કર્યો છે.