Mysamachar.in-જામનગર:
જામનગર મનપામાં લાયક કર્મચારીઓ અધિકારીઓને પ્રમોશન આપવા નથી, નવી ભરતીઓ પણ વિવિધ પોસ્ટ પર ના થવાથી મનપાનું મોટાભાગનું તંત્ર આઉટસોર્સ મેનપાવર એજન્સીઓ પર જ ચાલતું હોવાનું ગતરોજ મળેલ સ્ટે.કમિટીના એજન્ડા પર નજર કરતા લાગે છે. એજન્ડામા જોવા મળ્યું કે મનપાની કોઈ બ્રાંચ એવી નથી કે જે આઉટસોર્સ મેન પાવરથી ના ચાલતી હોય આઉટસોર્સ મેનપાવર સપ્લાયનું અલગ અલગ એમ મળી કુલ રૂપિયા ત્રણ લાખથી વધુનું અલગ અલગ બ્રાન્ચો માટે ખર્ચ મંજુર કરવામાં આવ્યું છે.જો કે આવા ખર્ચ કરવા કરતા મનપા શા માટે લાયકાત ધરાવતા કર્મચારીઓ અધિકારીઓને પ્રમોશન અને નવી ભરતીઓ નથી કરતી તે સવાલ છે.