Mysamachar.in-અમદાવાદ:
અમદાવાદમાં 2008 બોમ્બ બ્લાસ્ટને લઈને સમગ્ર અમદાવાદ ધ્રુજી ઉઠ્યું હતું. તે બોમ્બ બ્લાસ્ટ કેસમાં 14 વર્ષની લાંબી લડત બાદ આરોપીઓને આજે ખાસ કોર્ટ દ્વારા 38 આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવી છે, જ્યારે 11 આરોપીઓને આજીવન કેદની સજા આપવામાં આવી છે. મહત્વનું છે કે 14 વર્ષ બાદ બોમ્બ બ્લાસ્ટનો ભોગ બનનાર પીડિતોના પરિવારને આજે અન્ય મળ્યો હોવાનું જણાવી રહ્યા છે,
કેસના ચુકાદામાં મૃતકના પરિવારજનોને 1 લાખનુ વળતર ચૂકવવામાં આવશે તેવો કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. સાથે જ જે લોકોને બ્લાસ્ટમાં ઈજા પહોચી હતી તેમને 50 હજારનું વળતર આપવામાં આવશે. ઉપરાંત સામાન્ય ઈજા પહોચી હશે તેમને 25 હજારનું વળતર ચૂંકવવામાં આવશે. 2008માં થયેલા અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં કોર્ટે સપ્તાહ અગાઉ ચુકાદો આપ્યા બાદ હવે ખાસ અદાલત આજે સજાનું એલાનનું એલાન કર્યું છે. 49 લોકોને બ્લાસ્ટ મામલે દોષિત જાહેર કરવામાં આવ્યા હતા જ્યારે 28 આરોપીઓને પૂરાવાના અભાવે નિર્દોષ છોડવામાં આવ્યા હતા. જોકે રાજ્ય સરકારે દોષીતોને કડક સજા થાય તેવી માંગ કરી હતી. આ 49 લોકોને બ્લાસ્ટ મામલે દોષિત જાહેર કરવામાં આવ્યા હતાં, જ્યારે 28 આરોપીઓને પૂરાવાના અભાવે નિર્દોષ છોડવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં વર્ષ 2008માં થયેલા સીરિયલ બ્લાસ્ટમાં 54 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જયારે 244 લોકોને ગંભીર ઇજાઓ થઇ હતી. ઇન્ડિયન પીનલ કોડ 1860 ની કલમ 120(બી), 121(એ), 124(એ), 153(ક)(૧)(ખ), 302, 307, 326, 435, 427, 465, 467, 471, 212 તથા એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એકટ 1908 ની કલમ 3, 5, 6, 7 તથા અનલોફુલ એક્ટિવિટી પ્રિવેંશન એકટ 1967 ની કલમ 10, 13, 16, 18, 19, 20, 23, 38, 39, 40 તથા આર્મ્સ એકટ 1959 ની કલમ 25(1)(બી)(એ), 27 તથા ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ 2000 ની કલમ 65, 66 તથા ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એકટ 1984 ની કલમ 3, 4 મુજબ ગુનો નોંધાયો હતો અને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. 9 ફેબ્રુઆરીએ આ 49 દોષિતમાંથી 1 દોષિત અયાઝ સૈયદે તપાસમાં મદદ કરતાં તેને સજામાંથી મુક્તિ આપવામાં આવી છે. ત્યારથી અત્યાર સુધી સજાનાં એલાન માંટે આ ચોથી સુનાવણી હતી જેમા આજે 38 આરોપીઓને ફાંસીની અને 11 આરોપીઓને આજીવન કેદની સજા આપી દેવામાં આવી છે.