Mysamachar.in-જામનગર
ગેરકાયદેસર બાંધકામ નગરની સુંદરતા બગાડે છે અને કોર્પોરેશનને વિકાસ પરવાનગી ચાર્જ ન મળે આગળ જતા મિલકત વેરા પણ પુરતા ન મળે વળી ખોટો મેસેજ જાય અને આવી પ્રવૃતિઓ બેફામ રીતે વધતી જાય આવી દરેક ગંભીર બાબતો પ્રત્યે મેયર તેમજ અમુક નગરસેવકો સતત અને ખૂબ જ જાગૃત છે, જેના કારણે જ મહિનાઓની જહેમત હાર્યા વગર થાક્યા વગર કરી ત્યારે રેલવે બી સાઇડીંગ ગેલેક્સી ટોકીઝથી આગળની ગેરકાયદેસર 15 દુકાનો ઉપર કોર્પોરેશનનુ બુલડોઝર ફરી વળ્યુ અને આ પ્રકરણમા મેયર અને અમુક નગરસેવકોની અથાગ જહેમત ફળી હોઇ આ બાંધકામ તોડી પાડવા ભલામણ કરનાર સૌ લગતને આત્મસંતોષનો અને નગર માટે કંઇક સારૂ કર્યાનો સંતોષ થઇ રહ્યો હશે…
કેમકે કંઇક કરી છુટવાનો આનંદ જ કઇ ઓર હોય છે જો કે નગરજનો આ બાબતને વિશ્ર્લેષક તેમજ સમીક્ષાજનક ગણી રહ્યા છે, અને અમુક એમ કહે છે એક વર્ષ પછી કેમ પગલા? અરે ભાઇ આ તંત્રના કામ છે વાર લાગે કેમકે કંઇ એક બાંધકામ તોડવુ ઇ જ કઇ એક કામ ન હોય ને? સમયનો અભાવ છે તેમને ભાઇ ઇ સમજવુ જરૂરી છે,..
-ક્યા ગેરકાયદેસર બાધકામ થાય છે? જુજ લોકો સક્રિય…પરંતુ નગરના હિતમાં જ માત્ર….કોઇ ગેરલાભ માટે નહી
મેયર તેમજ શાસકપક્ષના અમુક કોર્પોરેટરો તેમજ વિપક્ષના અમુક કોર્પોરેટરો તેમજ જાગૃત નગરજનો ગેરકાયદેસર બાંધકામ ક્યા-ક્યા થાય છે? કે ક્યા-ક્યા થઇ ગયા છે.? કોની-કોની શું મંજુરી છે? શું મંજુરી શું બને છે? તેની રજેરજની માહિતી મેળવે છે, (જરૂર પડ્યે લગત બ્રાંચના ચોક્કસ કર્મચારીઓનો બહુમુલ્ય સહયોગ પણ મેળવે છે, અમુક સ્ટાફ તો આવી કોઇ વિગત માંગે તે માટે તત્પર રહેતા હોય છે અને ઉમળકાભેર માહિતી જરૂર પડ્યે નકલો પણ પુરી પાડે છે, નિર્દોષ ભાવથી તેમનો કોઇ સ્વાર્થ નથી હોતો) તે માટે દશેય દિશામા તેમના સુત્રો બાતમીદારો છે,
અને નગરના બીજા કાર્યો કરતા પ્રથમ ટોચ અગ્રતા આ વિષયને આપી રહ્યા છે, તેની પાછળ ઉદેશ્ય એક જ છે કે જામનગરમા બાંધકામ મામલે કશુ ખોટુ થવુ જ ન જોઇએ ખોટુ ચલાવી ન જ લેવુ જોઇએ અને નિસ્વાર્થ ભાવે આ વિગતો એકઠી કરી લગત બ્રાંચને લેટર લખે અથવા જરૂર મુજબ આરટીઆઇ કરે કાં કરાવે તેની પાછળ હેતુ એકજ નગરમાં બાંધકામ ક્ષેત્રે ગેરકાયદેસર કઇ ન જ થવુ જોઇએ, આ ધ્યેય સિદ્ધ કરવા રાત દિવસ એક કરે છે જાતે ઘસારો ભોગવે છે પોતાની નિંદર પણ ઘણી વખત ઓછી કરી આ ચિંતા સતત કરે છે જે પ્રસંશનીય બાબત છે તેમ પણ જાણકારો ઉમેરે છે.
-આશા અમર છે…તે સાચુ પડ્યુ
હાલના આ લાખો રૂપિયાના બાંધકામવાળી 16 ગેરકાયદેસર દુકાનો તોડી પડાઇ તેમા એમજ થયુ મેયર અને અમુક કોર્પોરેટરોના ધ્યાને આવ્યુ આ કૌભાંડ અથવા સુત્રોએ ધ્યાને મુક્યુ ત્યારથી વર્ષ દોઢ વર્ષથી આ વિષયની પાછળ જ હતા પત્રવ્યવહાર કર્યા મૌખીક સુચનાઓ આપી વગેરેથી થાકી ગયેલા પરંતુ આશા છોડી ન હતી અને આશા અમર છે ને ?? તોડી પાડવાની આખરી નોટીસ બાદ પણ લાં…..બા સમયે આ બાંધકામ તુટ્યુ તેનો શ્રેય મેયર અને કોર્પોરેટરો જેમને તોડી પાડવા લેટર લખેલા તેમને જાય છે જે માટે જહેમત લહેનાર આ સૌને અભિનંદન આપવા ઘટે છે
-બીજા મહાનગરોમા થતુ હશે હો….જામનગરમા નહી….માટે આક્ષેપ ન કરવા
જો કે આ તકે અમુક ચબરાકો અન્ય મહાનગરોમા ગેરકાયદેસર બાંધકામોના કિસ્સાઓમા જે ઓપરેન્ડી થાય છે તે મામલે એવી પણ ચર્ચા કરે છે કે હાલના સમયમા સૌ-સૌ નુ વિચારે અને ગેરકાયદેસર બાંધકામ તો એવો દરિયો છે કે જેમા “પોચુ” હોય તો કોઇ લાલચુ હોય તો બાંધકામ મુજબ કંઇક નાનો મોટો “લાભ” લઇ ચુપચાપ બેસી જાય (અહી સો ચુહે મારકે મીની બાઇ બેઠા પાટે…..એવી કહેવત વિચારવી નહી) હા ગજ ન વાગે તો તોડી પાડવા રજુઆતો કરવી લેટર લખવા આરટીઆઇ કરે દબાણકરે બીજુય ઘણુ કરે લગત બ્રાંચ વાળાઓ પર ડાયરેક્ટ ઇન ડાયરેક્ટ પ્રેસર લાવે (હા સામે પાર્ટી મક્કમ હોય મચક ન આપે તો દ્રાક્ષ ખાટી છે, તેમ કહી છોડી પણ દેવાય ક્યારેક ઘર્ષણ રકજક પણ થાય પરંતુ ઘણાખરા કિસ્સામા નાનો-મોટો લાભ થાય હા પાછળ પડવુ પડે) આ માટે તોડી પાડવા જ પાછળ પડ્યા છીએ તેવો ઇરાદો દર્શાવનાર ખાસ જુથ હોય છે,
તો સામે આવા બાંધકામને રક્ષણ આપવા પણ કોઇ કોઇ સક્રિય હોય છે એકંદર જુદા-જુદા ગઠબંધનથી ખેલ થયા કરતા જ હોય અને આવકનુ સાધન બને તેવુ પણ થાય તેની સામે લાખો રૂપિયા બચતા હોય તો બટકુ ફેંકવામા આવા બાંધકામ ધારકોને વાંધો ન હોય તે સ્વાભાવિક છે અમુક તો જાણે આવા બાંધકામ શોધી કાઢવાની પોતાની નૈતિક ફરજ સમજી આખો દિવસ નોકરી ની જેમ સોરી બિઝનેશની જેમજ મહેનત કરે છે અને મોટાભાગે મહેનત રંગ લાવે છે હા કોઇ વાર સામે માથુ પણ ભટકાય જાય છે…..આ દરેક વાત થઇ બીજા મહાનગરોની છે….
જામનગરનુ સદનસીબ છે કે અહી આવુ કશુ જ થતુ નથી અહી અમુક જાગૃત નગરસેવકો અમુક જાગૃત પદાધીકારીઓ અમુક જાગૃત નાગરીકો અમુક જાગૃત સમાજસેવકો કે એક્ટીવિસ્ટોનો એક જ ધ્યેય છે ખોટુ હોય તે તોડી પાડો અને આ બધાય જાગૃતોની જહેમતથી જ આ 16 દુકાનો જે ગેરકાયદેસર બંધાઇ હતી તેને મહાપાલીકાના લગત તંત્રએ તોડી પાડી છે.
હા બીજી અગત્યની વાત દોઢ વર્ષથી ચાલતા આ પ્રકરણ સામે જે ગેરકાયદેસર છે તેની સામે ફરિયાદ રજુઆત લેટર લખનાર કે વિરોધ કરનાર મેયર અમુક કોર્પોરેટરો અને જુજ જાગૃત એક્ટીવિસ્ટોને શુ પ્રલોભન લાલચ વગેરે નહી મળ્યા હોય? પણ ના કોઇ લાખનો ઢગલો કરે તોય નહી અડવાનુ મક્કમ મન આ કિસ્સામા લેટર લખનારાઓ સૌનુ છે, નહી તો ધારત તો રૂપિયા ગજવામા નાખી ગેરકાયદેસર બાંધકામ કરનારને અભયવચન પણ આપી શક્યા હોત પણ નહી હરામનુ જોતુ જ નથી પછી શું??
અડધો રોટલો મળતો હોય તો એમાય સંતોષ છે, જામનગરમા ગેરકાયદેસર બાંધકામમાંથી કોઇ તંત્ર કોઇ પદાધીકારી કોઇ જુજ નગરસેવકો કોઇ જુજ એક્ટીવીસ્ટ કે અન્ય કોઇ ઉપર આક્ષેપ કે શંકા કરાય તોય પાયા વિહોણા છે અને આવા આક્ષેપ કરવા સહેલા છે પરંતુ આ જણાવેલા સૌ ક્યારેય હાથ મેલા કરતા જ નથી તે તો નગરનુ સદભાગ્ય છે.!
-જો ઇરાદો મલિન હોય તો વિરોધ જ ન કરે ને…?? લેટર જ ન લખે માટે શંકા અસ્થાને છે
અમુક લોકો લાભ મળતા હોવાના આક્ષેપ કરે છે તે સમજી લે કે જો આવા કોઇ બદઇરાદા હોયતો અમુક પદાધીકારી કમિશનરને જુદા જુદા દોઢ ડઝન એરિયાના ફોટા ગેરકાયદેસર બાંધકામના મોકલી તોડી પાડવા ભલામણ શા માટે કરે?? તે તો શંકા કરતા પહેલા વિચારો કોઇ આવીને જણાવે કે ફલાણી જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ થાય છે કે થઇ ગયુ છે તો તુરંત લેટરપેડ સહિ કરી આપી દઇ ડ્રાફ્ટ બનાવાનુ પણ બાતમીદાર પર છોડી તોડી પાડવા ભલામણો લગત અધિકારી પર લખતા વિરલા જુજ પદાધીકારી જુજ નગરસેવકો વિરલા છે નહી તો ધારે તો દબાવી ન દે પ્રકરણ ને?? ( હા આવા લેટરો લખ્યા પછી ભુલાય જાય એ માનવસહજ સ્વભાવ છે કેટલુ યાદ રહે??
યાદ નથી તેવુ કહેવા પાછળ કઇ છુપાવાનો કે કઇ લાભ મળી ગયો છે, ખિસ્સા ગરમ થઇ ગયા હોય એટલે એ પ્રકરણ નુ કોઇ પુછે તો અજાણ્યા થવુ કે પુછનાર ને ડાયવર્ટ કરવા કે પુછનારને જકોઇ બીજા પોઇન્ટ ઉછાળી બોલતા કે પુછતા ચુપ કરી દેવ….વગેરે જેવો કોઇ ઇરાદો આવા લેટર લખનાર નિષ્ઠાવાનનો હોતો જ નથી,
અમુક લોકો ખોટી શંકા કુશંકા કરતા હોય છે પરંતુ સાચી વાત એ છે જુજ એક્ટીવિસ્ટો આરટીઆઇ કરે કે નોટીસ આપે કે ફરિયાદ કરે તેની પાછળ ઉદેશ્ય એક જ ખોટુ ન થવુ જોઇએ નહી….જો બદઇરાદો હોય તો કુલડીમા ગોળ ન ભાંગી લે?? પણ નહી ખોટા કામનો રૂપિયો ન જોઇએ કેમકે આવી સંપતિ સંતાપ આપે તેવા ધર્મભીરૂ આ જુજ જાગૃત લોકો છે માટે આંગળી ચિંધાય નહિ તેની કાળજી આક્ષેપ કરનારે રાખવી જરૂરી છે
-રજુઆત કરનાર બાદમા સક્રિય નથી રહેતા તેનુ કારણ સમયનો અભાવ
અમુક ચબરાકો કહે એક વખત લેટર લખીને કે ફરિયાદ કરીને કે આરટીઆઇ કરી અમુક નગરસેવકો કે અમુક પદાધીકારી કે એક્ટીવિસ્ટો બેસી જાય છે, પછી બીજા પ્રકરણને હાથમા લે છે અમુક એક સાથે ત્રણ ચાર જગ્યાએ સાથે પણ લડે અમુક ગૃપમા લડે (આ ગૃપમા વિવિધતામા એકતાનો ધ્યેય હોય છે) વગેરે-વગેરે ચબરાકો કહે છે, ત્યારે કહેવાનુ મન ચોક્કસ થાય કે એવુ નથી કે કઇ લાભ મળી ગયો એટલે એ પ્રકરણ બાબતે શાંતિ પકડી લે છે…તેવુ વિચારવુ પણ નહી હા
આ તો સમયનો અભાવ હોય એકજ કામ થોડુ હોય માટે તે જુજ જાગૃતો પ્રકરણ છોડી દે તેમની ફરજ હતી ધ્યાન દોરવાની એટલે ધ્યાન દોર્યુ કોર્પોરેશનનુ પછી કોર્પોરેશન ગમે તે કરે તે તેની જવાબદારી છે, આ જુજ લોકો કદિ પ્રલોભનમા આવતા નથી નહિ તો હાલનો સમય તો ઓફરનો યુગ છે..પણ ના…નહી… હરામનો રૂપિયો ન જોઇએ બસ ઇ ગેરકાયદે બાંધકામ જ ન જોઇએ
-જુજ જાગૃતો બીજા કોઇને પણ ખોટુ ન જ કરવા દે….લાભ લેવા ન દે
અને હા જો બીજા કોઇ ગેરકાયદેસર બાંધકામ પર રોટલા શેકવા નીકળે તો તેની પણ આ જુજ વિવિધ લડત આપનારાઓને ખબર પડી જાય છે. અને ગે.કા. બાંધકામ કરનાર અને તેને દબાવનાર વચ્ચે કિલ્લેબંધી સમાન ઉભા રહિ જાય પોતે ખોટુ પ્રલોભન લાલચ ન લે બીજા ને પણ ખોટુ લાલચ પ્રલોભન કે લાભ કે ફાયદા ન જ કરવા દે આ એક જ જાતની સમર્પિતતા છે અને સમાજમા ખોટા લેણ દેણ નુ દુષણ પેસી ન જાય તેની જાગૃતતા છે એ સહેલુ નથી તોય ચબરાકો આક્ષેપ કરે છે કે “મને નહી તો કોઇને નહી” “ન મળ્યુ તો ઢોળી નાંખો” “મળ્યુ તો એમ કહો બીજાને કે એમા કઇ ખોટુ થયુ નથી” “મારૂ વજન ન પડ્યુ તો કોઇનુ ન જ પડવુ જોઇએ” વગેરે વર્તન જુજ લોકો કરતા હોય છે તેવા આક્ષેપ ચર્ચા થાય છે પરંતુ વાસ્તવિકતા અલગ છે આક્ષેપ થાય છે એવો ટ્રેન્ડ જામનગરમા છે જ નહીખુણે ખાંચરે હોય તો પણ આ જુજ ગઠબંધીત જાણતા જ હોવાથી ખોટુ થવા દેતા નથિ એ નગરનુ સદભાગ્ય છે
-નૈતિકતા સાચવતા આ જુજ જાગૃતો નગરની શોભા છે
આ બધુ કરવા નૈતિકતા જોઇએ જે આ બધા જુજ ગઠબંધન કરનારા જે સિદ્વાંતને વરેલા છે, તે સૌ મા છે, જો કે દરેકમા આ સદગુણ ન હોય આ તો ત્યાગની ભાવના છે ને ચુંટાય આવ્યા તો નગર માટે કઇક કરી છુટવુ બીજું કઇ નહિ..બસ મક્કમ ઇરાદો કે સામાન્ય થી માંડી મસમોટુ કઇ ગેરકાયદે જોઇએ જ નહી તે જીવનમંત્ર આ કેસમા લેટર લખનાર બધાનો છે, બીજાય અમુક આવા કિસ્સાઓ છે,
શાસક પક્ષના અમુક જાગૃત નગરસેવકો વિપક્ષના અમુક નગરસેવકો જેના ગેરકાયદેસર બાધકામ સામે ફરિયાદના લેટર પડ્યા છે તે બીજા ગેરકાયદેસર બાંધકામોના છે તે વિષય પણ ઉજાગર થવામા છે (અમુક ની મૌખીક ફરિયાદ છે અમુક આરટીઆઇ છે અમુક આવી રજુઆતો ફરિયાદો ગેરકાયદેસર બાંધકામ સિવાયના બીજા અમુક ચોક્કસ વિકાસ કામોની ગેરરિતિઓની અને ખર્ચની ગેર રિતિઓની ફરિયાદ કૌભાંડ સામે અવાજની મૌખીક લેખિત વગેરે ફરિયાદો કોર્પોરેશનના જુદા જુદા વિભાગોમાં છે, પરંતુ નિરાંત રાખો બધુ બહાર આવશે ગેરરિતિતો આ જાગૃતોની જહેમત થી ઘણી અટકી તેમ ગેરકાયદેસર બાંધકામ એક બાદ એક તુટશે (આ આશ્ર્વાસન નથી જાગૃતો નો સંકલ્પ છે)
…..અને હા એક બીજી પણ ચોખવટ કરવી એ ઘટે છે કે કઇ એકલ દોકલ ગેરકાયદેસર બાંધકામ તોડાવી તેના દમ પર દાખલા આપી બીજાને રીએક્શન અપાવી જે લાભ લેવાના પેન્ડીંગ છે ત્યા મહેનત કરી છાને ખુણે લાભ લેવા માટે કઇ આ એક ડીમોલીશન નથી કરાવ્યું, માટે આવા પાયા વિહોણા વિચાર કરવા એ પણ ખોટુ કહેવાય તેમ પણ સજ્જનો જણાવે છે, અને હા આ બાંધકામ સિવાય પણ બીજા બાંધકામની રજુઆતોના લેટર પડ્યા છે, ઇ બધા જ આ ગઠબંધીત ગૃપ કે કોઇ વ્યક્તિગત કે કોઇ અન્ય રીતે તોડાવ્યે જ પાર કરશે તે પણ સૌ જોજો કેમકે જેમનુ પોતાનુ અંગત હિત નથી સ્વાર્થ નથી લાલચ લાભની ગરજ નથી બસ નગરની સુંદરતા ન બગડી જાય અને કોર્પોરેશનોને વિકાસ ચાર્જનો લોસ ન થવો જોઇએ મિલકતવેરાનો લોસ ન થવો જોઇએ ખોટો ટ્રેન્ડ ન પડવો જોઇએ એ જ ધ્યેય છે.