Mysamachar.in-જામનગર
જામનગર કોર્પોરેશનના ખુબ ગાજેલા શૌચાલય કૌભાંડના એસીબીમાં નોંધાયેલા ગુનાની તપાસ શરૂ થઇ છે અને સ્થળ તપાસ થઇ ત્યા તો નિવૃત ઇજનેર બેરા એજન્સીઓ લગત નાગરીકો સહિત સૌ આરોપીઓ શીયાવીયાં થઇ ગયા છે કેમકે તમામના આગોતરા રદ થયા હોય ગમે ત્યારે એસીબી ધરપકડ કરશે તેવા ભણકારા વાગી રહ્યા છે. જામનગરમાં નિર્મળ ગુજરાત યોજના અંતર્ગત એક વોર્ડમાં શૌચાલયો બનાવવામાં કોભાંડ થયાની અરજી પરથી એસીબીએ મનપાના તત્કાલીન નાયબ ઇજનેર સહીત 9 સામે ગુનો નોંધ્યા બાદ એસીબી દ્વારા સ્થળ તપાસ કરીને કેટલાક લોકોના નિવેદન નોંધવાની કાર્યવાહી કરી હતી.
જામનગરમાં વર્ષ 2014 થી 17 દરમ્યાન વોર્ડ નં.6નાં વુલનમિલ પાછળના તેમજ અન્ય વિસ્તારોમાં સરકારી સહાયથી શૌચાલયો બનાવવાના કામમાં ભ્રષ્ટાચાર થયાની એક નાગરિકની અરજી પરથી તપાસ કાર્ય બાદ એસીબીના પીઆઇએ ફરિયાદી બનીને મ્યુ.કોર્પો.ના તત્કાલીન નાયબ ઈજનેર, અધિક મદદનીશ ઈજનેર, વર્ક આસીસ્ટન્ટ, બે સંસ્થા, બે કોન્ટ્રાકટરો, બી પ્રજાજનો સામે ગુનો દાખલ કર્યા બાદ વોર્ડ.નં.6ના વિસ્તારોમાં સ્થળ તપાસ હાથ ધરી હતી. જે દરમ્યાન અમુક લોકોના નિવેદનો પણ લીધા હતા જેથી આરોપીઓ શીયાવીયા થઇ ગયા છે. પણ ગમે ત્યારે એસીબી કોઈપણ આરોપીની ધરપકડ કરી શકે છે.