Mysamachar.in-જામનગર:
જામનગર રાજકોટ હાઈવે પર આજે બપોરના સુમારે ગમખ્વાર અકસ્માતની એક ઘટના સામે આવી છે, મળતી માહિતી પ્રમાણે ધ્રોલ નજીક જામનગર રાજકોટ હાઈવે પર આહીર કન્યા છાત્રાલય પાસે આ અકસ્માત સર્જોયો જેમાં પ્રાથમિક વિગતો મુજબ કાર નીચે ઉતરી જતા આ અકસ્માત સર્જાયો હતો જેમાં એક બાળક સહિતના બે ના મોત થયા છે, જ્યારે અન્ય ગંભીર હોવાનું જાણવા મળે છે.જાણવા મળતી વિગતો પ્રમાણે આ કારમાં કુલ 4 લોકો સવાર હતા અને તમામ એક જ પરિવારના હોવાનું અને તેમાંથી 2 ના મોત થયાનું સામે આવ્યું છે, વધુ તપાસ ધ્રોલ પોલીસ ચલાવી રહી છે.અકસ્માતગ્રસ્ત અલ્ટો કારનો ડૂચો બોલી ગયો હતો.