Mysamachar.in-વડોદરા
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના વડું ગામમાં પરિવારના વડીલના અંતિમક્રિયામાં ગયેલા સાવલી તાલુકાના ટુંડાવ ગામના ડોડિયા પરિવારને કારનો અકસ્માત નડતાં ડ્રાઇવર સહિત 3 સભ્યનાં મોત નીપજ્યા હતાં, જ્યારે અન્ય સભ્યોને નાની-મોટી ઇજાઓ થતાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. વડોદરા સાવલી તાલુકાના ટુંડાવ ગામમાં રહેતા રાબિયાબેન છત્રસિંહ ડોડિયા (ઉં.50), ભીખીબેન હિંમતસિંહ ડોડિયા (ઉં.45) સહિત 6થી 7 પરિવારના સભ્યો મારુતિ વાનમાં બેસીને વડું ખાતે રહેતા સંબંધી રતનસિંહના સસરા મૃત્યુ પામ્યા હોવાથી તેમની અંતિમક્રિયા માટે ગામે આવ્યા હતા. અંતિમક્રિયાનો પ્રસંગ પતાવી ડોડિયા પરિવારના સભ્ય મારુતિ વાનમાં પરત સાવલી ટુંડાવ ગામે જવા માટે વડુથી નીકળ્યા હતા. આ દરમિયાન પાદરા તાલુકાના મહુવડ નવાપુરા ગામ પાસે કાર ચાલકે ટક્કર મારતા મારુતિ વાન પલટી મારી ગઇ હતી. અને ત્રણ લોકો મોતને ભેટ્યા હતા.