My samachar.in:-જામનગર
જામનગર શહેરની કિશાનચોકમાં રહેતા અને કોઇ કામધંધો ન કરતા આર્થિક સંકડામણથી કંટાળી યુવાને લાખોટા તળાવમાં ઝંપલાવીને આપઘાત કરી લીધાનું ઘટના સામે આવી છે, જામનગર શહેરની બાઇની વાડી, કિશાનચોક, આંબેડકર નગરમાં રહેતા વિનોદ રમેશભાઇ પરમાર (ઉ.વ.34) નામનો યુવાનને કોઇ કામધંધો ન હોય જેથી આર્થિક સંકડામણથી કંટાળી જઇ રાત્રીના સમયે તળાવમાં ઝંપલાવી દેતા ડુબી જવાથી તેનું મૃત્યુ થયું હતું. પોલીસે તેની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવના પગલે પરીવારજનોમાં ભારે શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.