Mysamachar.in-જામનગર
જામનગરમાં એક એવું હરતું ફરતું અન્નક્ષેત્ર ચાલે છે, જેમાં કોઈ પાસેથી કોઈ ફંડ ફાળો લીધા વિના એક જ કુટુંબના સભ્યો મહીને એક લાખથી વધુનો ખર્ચ ભોગવી અને દરરોજ સાંજે 300 જેટલા લોકો કે જેનું કોઈ નથી જેને પેટનો ખાડો પુરવા માટે પૈસા નથી તેવા લોકોનો પેટનો ખાડો પુરવાનું કામ આ હરતું ફરતું અન્નક્ષેત્ર કરે છે અને આ સેવાયજ્ઞની જ્યોત છેલ્લા 12 વર્ષથી પ્રજ્વલ્લિત છે, અને નિશ્વાર્થ ભાવે સેવા કરતો આ પરિવાર કહે છે કે જેટલા લોકો વધુ જમે તેમ અમને આનંદ થાય છે.ખરેખર આવું કાર્ય સન્માનને પાત્ર છે.
જામનગરના રસ્તાઓ પર સાંજ પડે ને આ વેન નીકળી પડે છે….આ વેન કોઈ સામાન્ય વેન નથી પરંતુ આ વેન કેટલાય ભુખ્યાઓના પેટનો ખાડો પુરવાની અવિરત સેવા કરતી વેન છે, શ્રી સતનામ સદગુરુ આશ્રમના મહંત જેન્તીદાસજી મહારાજની પ્રેરણાથી જામનગરના સ્વ.સવજી નથુ કનખરા પરિવારના પાંચભાઈઓ ગુરુજીની પ્રેરણા અને પોતાના પિતાની ઈચ્છાથી છેલ્લા 12 વર્ષ જેટલા સમયથી કોઈ પાસે એક નૈયો પૈસો લીધા વિના હરતું ફરતું અન્ન ક્ષેત્ર ચલાવી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
તાજેતરમાંજ સોશ્યલ મીડિયામાં દિલ્હી કા બાબા દા ધાબા અને મોરબીના એક વૃદ્ધની અન્ન સેવાપણ ભારે પ્રશંસાપાત્ર બની છે, ત્યારે કોઈ પણ જાતની પ્રસિદ્ધિના મોહ વિના જામનગરના કનખરા પરિવારના ભાઈઓ માત્ર પોતાના ગુરુની પ્રેરણા અને પિતાની ઈચ્છાને અનુસરીને જે અન્નક્ષેત્ર ચલાવી રહ્યા છે તે સલામીને પાત્ર તો ચોક્કસ છે જ..