Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના બેરાજા ગામે સીમવિસ્તારમાં છગનભાઈ ચીકાણીની વાડીમાં ખેતમજુર તરીકે કામ કરતા આદિવાસી પરિવારના જમનાબેન નાનકાભાઈ ભુરીયા અને તેની સાત માસની પુત્રી લક્ષ્મી ભુરીયા વાડીમાં કપાસ વીણવા નીકળ્યા બાદ સવારના સાડા છ વાગ્યા આસપાસ અંધારાને લઈને અકસ્માતે કુવામાં ડૂબી જતા માતા અને સાતમાસની પુત્રીના મોત થયાનું જોડિયા પોલીસ દફતરે જાહેર થયું છે, જો કે ખરેખર અકસ્માતે જ બન્ને ડૂબી ગયા છે કે કેમ તે અંગે પોલીસ વિશેષ તપાસ કરી રહી છે.