Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં રસ્તે રઝળતા પશુઓં ગમે તેને અડફેટ લઇ રહ્યા છે અને આવા બનાવો છાશવારે બનતા રહે છે, જેને કારણે કોઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બને છે અથવા તો કોઈને જીવ ગુમાવવાનો વારો આવે છે, આવા બનાવોનું પુનરાવર્તન ના થાય તે માટે જામનગર મ્યુ.કમિશ્નર વિજયકુમાર ખરાડી દ્વારા ઢોર ડબ્બાનો હવાલો સંભાળતા નાયબ ઈજનેર દીપક શિંગાળાને એક માસ પૂર્વે જ આવા બનાવો બનતા અટકાવી શકાય તે માટે શહેરના માલધારીઓ પશુપાલકો સાથે એક બેઠક કરવામાં આવે તેના મંતવ્યો પણ લેવામાં આવે અને શું પ્રશ્નો છે અને તેનું શું નિરાકરણ કરી શકાય તે માટે આવી એક મીટીંગનું આયોજન કરવા જણાવેલ સાથે જ કાર્યવાહી વધુ અસરકારક બને તેવી સૂચનાઓ પણ આપવામાં આવ્યા હતા, પણ આ અંગે નાયબ ઈજનેર દીપક શિંગાળાએ કમિશ્નરની સુચનાની પણ અવગણના કરતા કમિશ્નર વિજયકુમાર ખરાડીએ દીપક શિંગાળા અને તેમની ઢોર પકડવાની ટીમના સાથીદારોને શોકોઝ નોટીસ આપી હોવાનું કમિશનરે જણાવ્યું છે.
નોટીસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઢોર પકડવાની કામગીરીમાં બેદરકારી દાખવવામાં આવશે તો આ અંગે આપની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે, અને જો આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નહિ આવે શિસ્તભંગના પગલા લેવામાં આવશે.