Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતી શાળાઓ કે જેમાં 30થી ઓછી સંખ્યા હોય એવી શાળાઓ બંધ કરવાનો તઘલખી નિર્ણય લીધેલ છે. જે ખરેખર અયોગ્ય છે. કેમકે એમ જ કરવુ હોય તો સરકારી કચેરીઓમાં પણ કર્મચારીઓની હાલ 30થી 40 ટકા જેટલી જગ્યાઓ ખાલી છે. તો આવી કચેરીઓને પણ તાળા મારવાનો નિર્ણય વ્યાજબી ગણાશે? તેવા સવાલો ઉઠે છે, આ નિર્ણય સંખ્યાના આધારે લેવાય છે, આવી શાળાઓ આંતરીયાળ વિસ્તારમાં વસવાટ કરતા પરિવારના બાળકોને ભણાવવા માટેની હોય છે. આવી શાળાઓ સામાન્યત ગ્રામ્ય વિસ્તારથી 3થી 5 કિ.મી. દુર વાડી વિસ્તાર તથા નેશ વિસ્તારમાં રહેનારા બાળકોને અપડાઉન ના કરવુ પડે એ માટે હોય છે. અને એમાં પણ ખાસ કરીને દીકરીઓ અંતરીયાળ રસ્તાથી ચાલીને સ્કૂલે જવુ પડતુ હોય છે.
તો આવા બાળકોનું ભવિષ્યને ઘ્યાને રાખીને આવા તઘલખી નિર્ણય રદ કરવો જોઇએ તેવી માંગણી એટલે ઉઠી છે. રાજ્ય સરકાર અને વડાપ્રધાન પણ દરેક જગ્યાએ બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરતા હોય ફકત વાતો તથા જાહેરાતોથી જ બેટી બચાવો બેટી પઢાવોની વાતો સાર્થક નહી થાય. શાળાઓ બંધ કરવાનો આ નિર્ણય અયોગ્ય છે. આ નિર્ણયથી ફકત જામનગર જિલ્લામાં જ આશરે 1000 જેટલા બાળકોને એટલે કે 500 બાળકીઓ માટે આ નિર્ણય નુકશાનકર્તા સાબીત થશે અને આમ અચાનક જ અડધા સત્રથી સ્કૂલ બંધ થવાના કારણે આવી સ્કૂલોમાં અભ્યાસ કરતા બાળકોનું વર્ષ નકામું જશે ઉપરથી બેટી બચાવો બેટી પઢાઓ ના લીરા ઉડશે કેમકે નાની એવી પ્રાથમિકશાળાની બાળા પાંચ પાંચ કીલોમીટર ચાલીને જવુ પડશે.