Mysamachar.in-જામનગર:
વર્તમાન સમયમાં કોરોનાની મહામારીને નાબૂદ કરવા તેમજ તે અંગેની વિવિધ પ્રકારની કામગીરીમાં જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને દરેક પ્રકારની કામગીરી સોંપવામાં આવતી હોવાની ચોંકાવનારી રજૂઆત સમિતિના સદસ્ય નીતિન માડમ દ્વારા શાસનાધિકારીને પત્ર પાઠવી કરવામાં આવી છે, જેમાં અનેક ચોંકાવનારી હકીકતો પ્રકાશમાં આવવા પામી છે, પત્રમાં જણાવાયું છે કે શહેરમાં ડોર ટુ ડોર સર્વેની કામગીરી તેમજ કોરોનટાઈન તથા રાશન કાર્ડ અંગેની કામગીરી ઉપરાંત શિક્ષકોને રીઝલ્ટ આપવા સહિતની જવાબદારીઓ સોપવામાં આવી રહી છે, જ્યારે બીજીબાજુ સરકારી કે અર્ધસરકારી શાળાઓ. રજીસ્ટ્રાર કચેરી, પીડબલ્યુડી સહિતના અન્ય વિભાગોના કર્મચારીઓને કોરોનાની એક પણ પ્રકારની જોખમી કામગીરી સોંપવામાં આવતી નહીં હોવાની ચોંકાવનારી બાબતો દર્શાવવામાં આવે છે,
વધુમાં જણાવાયું છે કે આવા કર્મચારીઓને સેનેટાઈઝર હેન્ડગ્લોઝ માસ્ક આપવામાં આવતા નથી જેથી આવા કર્મચારીઓ ઉપર પૂરેપૂરું જોખમ સર્જાયેલું રહેતો હોવાથી આ અંગે તાકીદે જરૂરી સાધનો પુરા પાડવાની રજૂઆત પણ કરવામાં આવી છે.
-શું કહે છે નગરપ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ…?
આ મામલે નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયાની પ્રતિક્રિયા લેવામાં આવી તેણે કહ્યું કે આ બાબતે અમે પણ કમિશ્નરને રજૂઆત કરી છે, પણ હજુ સુધી કોઈ નિવેડો આવ્યો નથી અને અમારા શિક્ષકોને જે કામગીરી સોંપી હતી તે ચાલુ છે.