Mysamachar.in-જામનગર:
જામનગરમા નોહોકીંગ ઝોન એટલે કે જાહેર રોડ ઉપર રેકડી પથારા કેબીન ઠેલા વગેરે ન રાખવા ગુજરાત હાઇકોર્ટે હુકમ કર્યો છે,અને ગીચ વિસ્તારોમાં તેનો અમલ થતો ન હોય ટ્રાફીક સમસ્યા વકરી છે,તે બધા જાણે છે,રસ્તા ઉપર વાહન ચાલકો કે રાહદારીને નીકળવુ મશ્કેલ થઇ ગયુ છે,છતાં તંત્ર તમાશો જુએ છે તે પણ નારી વાસ્તવિકતા છે,
પાર્કીંગની ક્યાય જગ્યા જ નથી કેમકે ત્યાં બધે જ રેકડી કેબીન પથારાના જંગલ મીઠી નજર નીચે છવાઈ ગયા છે.માટે આ અંગે અપાયેલી લીગલ નોટીસ અને સનદી અધીકારીઓ સામે કેસ દાખલ કરવા માંગેલી મંજુરીની મુદત પુરી થઇ જતા જામનગરના એડવોકેટએ જામનગરના એડીશનલ સીનીયર સીવીલ કોર્ટમાં ગૃહ સચિવ કલેક્ટર કમીશનર અને એસ.પી. સામે રીપ્રેઝન્ટેટીવ રીટ નંબર ૧૦૦/૨૦૧૮ દાખલ કરી છે,
તેમજ જ્યા સુધી નો હોકીંગ ઝોન નો અમલ ન થાય,પાર્કિંગ સુવિધા ન અપાય,નો હોકિંગ ઝોન ના કોમર્શીયલ તમામ કોમ્પલેક્સમાં પોતાની પાર્કિંગ સુવિધા ન થાય,અને સી.સી.ટી.વી. કેમેરા ન લગાવાય જાય ઉપરાંત ટ્રાફિકના તમામ જાહેરનામાના અમલ ન થાય ત્યા સુધી લોકોના વાહનો ન ઉપાડવામાં આવે તેવો મનાઇ હુકમ પણ માંગ્યો છે,તેમજ જવાબદારો નગરજનોની સુખાકારી માટે ટ્રાફીક નિયમનના તમામ કાયદા ચુકાદાના પાલન કરી લોકોને સુવિધા અને સલામતી પુરી પાડે તેમજ તમામ નુકશાન ના વળતર માટે જવાબદાર ઠેરવી વસુલાત કરાય તેવી દાદ તો માંગી જ છે.છતાય તંત્ર ને ગંભીરતા નથી તેનો વરવો દાખલો સામે આવ્યો છે.
આ તમામ પરિસ્થિતિ વચ્ચે નગરભરમા પ્રશ્ન એ ચર્ચાય છે કે જામનગરમાં તમામ નો હોકીંગ ઝોન માં લોકેશન ધ્યાને લઇ પુરતી સંખ્યામા સી.સી.ટી.વી.કેમેરા શા માટે ઇન્સ્ટોલ કરવામાં આવ્યા નથી? માત્ર છુટા છવાયા દિશા વિહીન કેમેરા લગાવવાનો મતલબ શું છે? જુદી જુદી જગ્યાએ કેમેરા ફીટ કરવાનો માપદંડ નક્કી કરાયો છે? ક્યા કાયદા પાલન માટે વધુ વોચ ની જરૂર છે તેનો રિપોર્ટ તૈયાર છે? આવા અનેક સવાલ કરદાતા નાગરીકો પુછી રહ્યા છે,અને પોલીસ સહિત લગત તંત્રોની ઇચ્છાશક્તિ સમીક્ષકોની કસોટીની એરણે ચઢી છે.જે તંત્ર ને ખુલ્લો પડકાર પણ છે.
ઉપરથી જામનગરમાં વકરેલી ટ્રાફિક સમસ્યા અને ગુજરાત હાઇકોર્ટના નો હોકિંગઝોનના તેમજ ટ્રાફિકના જાહેરનામાના અમલ થતાં નથી અને અવિરત કન્ટેમ્પટ ઓફ કોર્ટ થાય છે.
આનું શું સમજવું.?
લોકોની સુખાકારી માટે ગુજરાત હાઇકોર્ટે જામનગરમાં ૧૫ નો હોકિંગઝોન જાહેર કર્યા છે. તેમજ ભારે વાહનો જેમાં ટ્રકો અને ખાનગી કંપનીની બસોને ગામમાં કયારે પ્રવેશવું અને કયારે ન પ્રવેશવું તેમજ કેટલી સંખ્યામાં પ્રવેશવું તે માટેના સક્ષમ ઓથોરિટીએ જાહેરનામા બહાર પાડયા છે. પરંતુ તે હાઇકોર્ટના હુકમનું પાલન થતુ નથી અને દરબારગઢ, શાકમાર્કેટ, બર્ધનચોક, ચાંદીબજાર, હવાઇચોક વગેરે તમામ નોટીફાઇડ એરિયા આ પોલીસ અને કોર્પોરેશનની મીઠી નજર હેઠળ શુરાતન ન ચઢે ત્યાં સુધી હાલાંકી કરે જ છે.