Mysamachar.in-જામનગર
કોરોનાના કારણે દેશમાં લોકડાઉનને 3 મે સુધી વધારવામાં આવ્યું છે. લોકડાઉનમાંથી છુટ આપવામાં આવે તેવી જરૂરી સેવાઓમાં મેડિકલ સર્વિસિસ પણ સામેલ છે, છતાં પણ જામનગર અને દ્વારકા જીલ્લા સહીત રાજ્યના ઘણા ભાગમાં કેટલીય પ્રાઈવેટ હોસ્પિટલો બંધ જોવા મળે છે, અમુક ડોકટરો ચોક્કસ સાવધાની રાખીને પોતાની હોસ્પિટલો કાર્યરત રાખી રહ્યા છે. જે ધન્પયવાદને પાત્ર પણ છે, જામનગર સહિત અનેક નગરો શહેરોમા મોટાભાગના દવાખાના બંધ છે જનરલ પ્રેક્ટીસનર્સ ફીજીશ્યન સ્કીન-ઈએનટી-ઓર્થો સ્પેશ્યાલીસ્ટ ગાયનેક જનરલ સર્જન ડેન્ટીસ્ટ વગેરે બંધ છે તેવા ફીડબેક લોકોના મળે છે, ત્યારે સવાલ એવો પણ થાય કે શુ હાલ માત્ર કોરોના ના જ દર્દીઓ છે? બીજા કોમ્પ્લીકેશન્સ કે બિમારી શુ લોકોને ન થાય? તો આવા સંજોગોમા દર્દીઓ ક્યા જાય? એક તરફ સરકારી હોસ્પીટલો દિવસ રાત એક કરી રહી છે, ત્યારે આવશ્યક ગણાતી તબીબી સેવાના પ્રાયવેટ સેન્ટરો જ રૂટીન બિમારીમા ઉપયોગી થાય છે
માત્ર ખાસ દર્દીઓ માટે જ દવાખાને આવતા તબીબો માનવસેવાનો મોકો ચુકી રહ્યા હોય તેમ પણ લાગે છે, તબીબી અભ્યાસ બાદ લીધેલા શપથ ભુલી ઘરમા પુરાયેલા તબીબો લોકોને સાજા કરવા અને સાજા રાખવા દવાખાના હોસ્પીટલ ચાલુ રાખે તે સમયની તાતી માંગ છે હાલ ખુબ જરૂરી છે, અને તેવું થશે તો સરકારી હોસ્પીટલમાં જે ઈમરજન્સીના કેસો છે તેનું ભારણ પણ ઘટશે, કેમ કે માનવસેવા દર્દીસેવા એ માત્ર સરકારી હોસ્પીટલના ડોક્ટરોની જવાબદારી નથી માટે માનવતા દાખવવાની તક વખતે જનરલ વિવિધ રોગના પેશન્ટસ માટે દવાખાનાઓ ચાલુ રાખવા જરૂર હોય તેમ જાણકારોનો મત છે.
-તંત્રની કોઈ પાબંધી નથી.
જો કોઈ તબીબ પોતાની ખાનગી હોસ્પિટલ ખુલ્લી રાખવા માંગતા હોય તો તે સ્વેચ્છાએ ખુલ્લી રાખી શકે છે, કારણ કે તબીબી સેવા એ આવશ્યક છે, ત્યારે લોકડાઉનની મર્યાદામાંથી ખાનગી હોસ્પિટલ પણ મુક્તિને પાત્ર છે.
-અમે તો પેરામેડીકલ સ્ટાફ માટે પાસ જોઈએ તો સાથે જ છીએ: ડો.વિજય પોપટ
જામનગર આઈ.એમ.એ ના પ્રમુખ ડો.વિજય પોપટની આ મામલે પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેવોએ સ્પષ્ટ કર્યું કે અમારા તરફથી આવી કોઈ સુચના આપવામાં આવી નથી, ઉલટાનું જે કોઈ તબીબ પોતાની હોસ્પિટલ ખુલ્લી રાખવા માંગતા હોય તે તબીબના પેરા મેડીકલ સ્ટાફના પાસ ઇસ્યુ કરવા માટે પણ અમે સાથે જ છીએ.