Mysamachar.in-અમદાવાદ:વડોદરા
રાજ્યમાં કોરોના વાયરસનો કહેર વધતો જાય છે. લોકડાઉનના કારણે લોકોને ઘરમાં રહેવાનું કહેવામાં આવે છે, પરંતુ લોકો માની રહ્યા નથી, એટલે તેઓ સવાર-સવારમા મોર્નિંગ વોક કરવા નીકળી પડે છે. તેથી પોલીસ પોલીસે આવા લોકોને ઝડપી લેવાની કાર્યવાહી હાથ ધરી હતી અને પ્રથમ દિવસે 82 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આજે પણ લોકડાઉનને લઈ વડોદરા પોલીસે કડક કાર્યવાહી કરી હતી. વડોદરાના મકરપુરા પોલીસે 14 લોકોની ધરપકડ કરી છે. આજે વડોદરામાં દર્શનમ એન્ટીકા સોસાયટી પાસે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદમાં પણ લોકો લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરીને લોકો સવારમાં મોર્નિંગ વોક કરવા નીકળી જાય છે. કોરોના વાયરસની ભયાનકતાને સમજ્યા વગર તેઓ પોતે જ નહીં પોતાના પરિવારના લોકોને પણ ખતરામાં મૂકે છે. અમદાવાદના નારણપુરા, સેટેલાઈટ, વસ્ત્રાપુરમાં લોકો મોર્નિંગ વોક કરવા નીકળી પડ્યા હતા, ત્યારે પોલીસે કડક કાર્યવાહી કરતા 23 લોકોની ઘરપકડ કરી હતી, કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. જયારે તેનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.