Mysamachar.in-જામનગરઃ
જામનગર કોર્પોરેશનના ટીપીઓ વિભાગ ગેરકાયદે દબાણ અનઅધિકૃત બાંધકામ મંજુરી વગર કે તેથી વધુ બાંધકામ વગેરેને પુરતી તક આપી દબાણકારના દબાણો તોડી પાડવા આદેશ કરે છે. તે કામગીરી કરવા એસ્ટેટને મોકલે છે ત્યારે "નીચેથી" "કારીગરો" દ્વારા શરૂ થતો ખેલ ઉપર એક કાલો ઘેલો પણ કોઠે નરવા સુધી પહોચે છે, ત્યારે અલગ અલગ લીસ્ટ બને છે, મામકા પાંડવાના જેમ નજરે જોનાર સુત્ર જણાવે છે જો તેનુ સાચુ માનીએ તો દબાણની માયા જાળને પોષે છે એસ્ટેટ જ તે ફલિત થાય છે,… પરંતુ આ આક્ષેપ સાચા જ હોય તો કેવી ગેરરીતીઓ અને કેવા ખેલ અને કેવી મલાઇ તારવવાની કે દબાણકારોને દબાવાની (અ) નિતિથી કેવુ શોષણ અને "પોતાનુ પોષણ" થાય છે, તેનો અંદાજ આવે આ પ્રક્રિયા અવિરત હોવાનુ જાણકારો કહે છે, અને આ જ આધાર ઉપર બીજા ચબરાકો પણ પોતાના "લાભ" મેળવવા કચેરીઓમાં જ પડ્યા પાથર્યા રહે છે જે ચકચારજનક અને કોર્પોરેશન માટે શરમજનક છે,
બીજી મહત્વની બાબત છે રાજકીય રોટલા શેકવાની તેમા તો ડીમોલીશન તો શુ અમુક રેકડી હટાવવા જાય તો ભલામણો આવે અને ભલામણ શાસકમાંથી અંદરથી કે બહારથી હોય છે, તો વિપક્ષમાં થી પણ હોય છે, વિપક્ષ પાસે દુખતી રગો હોવાથી "પોતાના" સમર્થકોના દબાણને રક્ષણ પણ અપાવે કેમકે ક્યા-ક્યા ગેરકાયદેસર ચાલે છે, તેનો ડેટાબેઝ એકઠો કરી તેના ઉપરથી લાભ ગેરલાભ બધુ જ અમુક મેળવે છે,
વળી ગે.કા. બાંધકામ બચાવવા દબાણ બચાવવા શાસક પક્ષ ની જેમ વિરોધપક્ષના અમુકની સક્રિય ભૂમિકા રહી છે, તેના ઘણા ફાયદા તેમને મળે છે, તો એક જુથ એવુ પણ છે કે ગેરકાયદે બાંધકામ કે દબાણો કેમ તુટ્યા નહી કેમ દૂર થયા નહી તે માટે અંડર કરંટ ની જેમ જંગ છેડે છે અને મોરચો માંડી વીઝીટ કરાવવી નોટીસ અપાવવી અરે તોડાવવા સુધી લડી લે છે, કેમ કે કા ઇ નડતો હોય કા શાસક પક્ષની રગ દબાવી શકાય છે, સરવાળે કોઇ લાભ મળે તો બધુ જ છોડી પણ દેવાય છે, ભૂલી જવાય છે એવુ જ શાસક પક્ષના પણ અમુક લાભ માટે કે બીજા દુખી થાય તેનો લુત્ફ ઉઠાવવા છણકા ભણકા કરી કે કરાવી પોતાનો મોરચો ચોકો અને ઇરાદો તેમજ અસ્તિત્વ ઉભા રાખવા કાયમ રાખવા લડતા રહે છે, આમ ત્રિપાખીયો જંગ એસ્ટેટ સાથે ચલાવાય છે અને એસ્ટેટ પણ ક્યા નખ શીખ અણી શુદ્ધ છે, તેના અમુક પેધી ગયેલા અમુક ચબરાકો આ ત્રિપાખિયા જંગના ત્રણેય જુથને સાચવી પોતાના લાભ ખટાવી જ લે છે, તેમ વિસ્તૃત વિગત આપતા કોર્પોરેશન સંલગ્ન એક એક્ટીવીસ્ટે જણાવી ઉમેર્યુ કે તે તો ઉદાહરણ સાથે ક્યા શુ સેટીંગ થયા તે પણ જાણે છે તે ઉદાહરણો ખરાઇ કરી mysamachar ના વ્યુઅર્સ માટે યોગ્ય હશે તો શૃંખલામા પ્રસિદ્ધ કરવા વિચારી શકાશે જેથી નાગરિકોને ખ્યાલ આવે કે તેમના દ્વારા ચુંટાયેલાઓમાંથી અમુક ખરેખર શુ કરે છે.?