Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકામાં હાલ એક વિન્ડફાર્મ કંપની દ્વારા પવનચક્કીઓ ઉભી કરવાનું કામ ચાલી રહ્યું છે, ત્યારે વિન્ડફાર્મ ઉભી કરતા સમયે ટર્બાઈનમાં કોઈ ખામી સર્જાઈ જતા ત્રણ લોકો દાજી ગયાનો બનાવ સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે, જે લોકો દાજી ગયા છે તેમાંથી એક ચાઈનીસ અને એક ઇન્ડિયન હોવાનું સામે આવી રહ્યું છે, કુલ ત્રણ લોકો દાજી ચુક્યા હોવાની વાત ને સ્થાનિક પોલીસે સમર્થન આપતા કહ્યું કે દાજી ચુકેલા ત્રણમાં થી બે ની હાલત ગંભીર હોવાનું પણ સામે આવી રહ્યું છે, મામલો વધુ બહાર ના આવે તે માટે ત્રણેય વ્યક્તિઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડી અને મામલો રફેદફે કરવાના પ્રયાસો ચાલી રહ્યાનું પણ સુત્રો જણાવે છે.કારણ કે બનાવના કલાકો વીતી ચુક્યા બાદ પણ જામજોધપુર પોલીસ પાસે પુરતી માહિતી નથી તે પણ શંકા ઉપજાવનારું છે.