Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યમાં લોકડાઉનની કડક અમલવારી કરાવવા માટે પોલીસ દ્વારા બિનજરૂરી બહાર નીકળનાર લોકોના વાહનો ડીટેઈન કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી, અને રાજ્યમાં આવા ડીટેઈન થયેલા વાહનોની સંખ્યા અંદાજે 1 લાખ જેટલી છે, ત્યારે ડીટેઈન થયેલા વાહનો છોડાવવાને મામલે આજે રાજ્યપોલીસવડા શિવાનંદ ઝા એ પત્રકાર પરિષદમાં માહિતી આપતા કહ્યું કે લોકડાઉન દરમિયાન જે લોકોના વાહનો ડીટેઈન થયા છે, તે છોડાવવાની પ્રક્રિયા આજ્થી શરુ કરવામાં આવશે, લોકડાઉન પુરતી આ સતા આરટીઓ પાસેથી લઈને પોલિસને આપવામા આવી છે, પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ અને પીએસઓ વાહન છોડવાની કાર્યવાહી કરી શકશે લોકોને આવશ્યક ચીજવસ્તુઓ લેવા જવા માટે અગવડતા ના પડે તે માટે આ વાહનો દંડ વસુલી પરત કરવામા આવશે અને લોકડાઉનમાં જો ફરી ભંગ કરતા વાહનચાલક પકડાશે તો પાછુ વાહન ડીટેઈન થઇ જશે, પોલીસ સ્ટેશનમાં વાહન છોડવવા જતી વખતે પણ સોશ્યલ distance જાળવવું ફરજીયાત રહેશે એટલે કે એકસાથે ત્યાં પોલીસમથકમાં પણ ઘેરો કરીને વાહનો છોડાવી શકાશે નહિ.