Mysamachar.in-ગાંધીનગર:
એક તરફ ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે સાવચેતીના ભાગરૂપે અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશતા મુસાફરોના આરોગ્યની ચકાસણી ફરજિયાત બનાવી દેવાઈ છે. આ અંગેની વ્યવસ્થા કરવા રાજ્યના ગૃહ વિભાગે આરોગ્ય વિભાગને જાણ કરી હોવાનું જાણવા મળે છે, આ પરિપત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું છેકે, રાજ્યની અંદર કે આંતરરાજ્ય અવર-જવર માટે કોઇ નિયંત્રણ નથી. આ માટે મંજૂરી કે ઇ-પાસ લેવા જરૂરી નથી. તેમ છતાં અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશતા મુસાફરોનં હેલ્થ ચેકઅપ થાય તે જરૂરી છે. તેથી અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશતા મુસાફરોની સંબંધિત ચેકપોસ્ટ પર હેલ્થ ચકાસણી કરવામાં આવે. સમગ્ર વ્યવસ્થા આરોગ્ય વિભાગના સહયોગથી ગોઠવવામાં આવે તેવો આદેશ કરવામાં આવ્યો છે.