Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લામાં કોરોના વાયરસના કેસોની વધી રહેલ સંખ્યા બાબતે આજે કલેકટરે પત્રકાર પરિષદ સંબોધિત કરીને અને વિસ્તૃત માહિતી પત્રકારોને આપી હતી, અને લોકો ગભરાઈ નહી કારણ કે જે કેસો સામે આવ્યા છે તે બહારના છે સ્થાનિક સંક્રમણથી કોઈ કેસો સામે આવ્યા નથી, કલેકટર રવિશંકરે કહ્યું કે આજદિવસ સુધીમાં જામનગર જીલ્લામાં 28 પોજીટીવ કેસો નોંધાયા છે, જેમાંથી બે બાળકોના મોત થયા છે, આજે સામે આવેલ બે કેસોની વાત કરતા તેવોએ કહ્યું કે બન્નેની ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદની છે, અને બન્ને જામનગર આવ્યા બાદ તેવોનો ટેસ્ટ કરવાનું જરૂરી લાગતો હોય ટેસ્ટ કરવામાં આવ્યા બાદ તેવોના રીપોર્ટ પોજીટીવ આવ્યા બાદ હવે તેણે સમરસ હોસ્ટેલમાંથી હોસ્પિટલ ખસેડવામાં આવશે,
જે પોજીટીવ દર્દીઓને હોસ્પીટલમાં ખસેડવામાં આવે છે, તેને મીનીમીમ દસ દિવસ હોસ્પિટલમાં ફરજીયાત રાખવાના હોય છે, જામનગર જીલ્લામાં પોજીટીવ આવેલ તમામ દર્દીઓની સ્થિતિ સ્થિર છે, અને અત્યાર સુધીમાં કોઈ દર્દીને રજા આપવામાં આવી નથી, જામનગરથી 1043 બસો અને 44 વાહન મારફતે 44644 મજુરોને એમ.પી.અને રાજસ્થાન મોકલવામાં આવ્યા છે, વધુમાં બિહાર માટે એક ટ્રેન અને ઉતરપ્રદેશ માટે 5 ટ્રેનો મારફતે મજુરોને રવાના કરવામાં આવ્યા છે,
બહારના જીલ્લામાં થી આવતા લોકોને પ્રવેશવા મુદ્દે કલેકટરે કહ્યું કે જે કેસો સામે આવ્યા તે કોમ્યુનીટી સ્પ્રેડના કેસો નથી, પણ બહારથી આવતા લોકોને કારણે સંક્રમણ થતા કેટલાક સાવચેતીના પગલાઓ લેવામાં આવ્યા છે, અને જામનગર પોતાનો પરિવાર માનનાર કલેકટરે કહ્યું કે જીલ્લાના 17 લાખ લોકોનું હિત મારે હૈયે છે, અને જીલ્લાનું સમગ્ર તંત્ર જામનગરમાં કેસોની સંખ્યાને વધતી અટકાવી શકાય તે માટે પોતાના દિવસ રાત છેલ્લા બે માસ થી એક કરી રહી હોય લોકો પણ તંત્રને પૂરો સહકાર આપી અને સૂચનોનું પાલન કરે તેવી અપીલ કલેકટર રવિશંકરે કરી હતી.