Mysamachar.in-જામનગર:
રાજ્ય સરકાર જેવી ગઈકાલે છૂટછાટ આપી અને તમાકુ અને પાનમાવાના બંધાણીઓ ને તો મજો પડી ગયો,…આજે સવારથી જામનગર શહેરના રતનબાઇ મસ્જીદ નજીક આવેલ તમાકુ અને બજરની દુકાન પર કતારો લાગી ગઈ હતી, અને હા કતારમાં ના માત્ર પુરુષો પણ મહિલાઓ પણ જોવા મળી હતી. ભાઈ આટલી લાંબી કતારો કરીને તો ઉભા છો પણ ધ્યાન રાખજો સોશ્યલ ડિસ્ટન્સ પણ જાળવવાનું છે. એવું ના માની લેતા કે સરકારે છૂટ આપી દીધી એટલે કોરોના વાયરસનો ચેપ આજથી કોઈને નહિ લાગે…અમુક લોકો તો દુકાનો ખુલે તે પૂર્વે જ શટર પકડી અને ઉભા રહી ગયેલા પણ જોવા મળ્યા હતા.