Mysamachar.in-ગાંધીનગર
કોરોના વાઈરસનો કહેર હવે ગુજરાતમાં પણ દિનપ્રતિદિન વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે લોકો એ વધુ સાવચેત થવાનો સમય આવી ગયો હોય તેમ લાગી રહ્યું છે, આજે ગુજરાતમાં કોરોનાના કારણે વધુ એક મોત થયું છે અને મૃત્યુઆંક પર પહોંચ્યો છે. ભાવનગરમાં કોરોનાએ ભોગ લીધો છે. જ્યારે રાજ્યમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસોની સંખ્યા 43 થઈ છે. રાજ્યના આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિએ આ માહિતી આપી હતી. પોજીટીવ કેસોમાં અમદાવાદ -15, વડોદરા -8, સુરત -7, ગાંધીનગર -7, કચ્છ -1, રાજકોટ -4, ભાવનગર -1 આમ કુલ સંખ્યા ૪૩ પર જયારે મોતનો આંકડો ગુજરાતમાં 3 પર પહોચ્યો છે.