Mysamachar.in-જામનગર:
અમદાવાદના કાંકરિયામા થયેલ રાઈડ્સની દુર્ઘટના બાદ સૌરાષ્ટ્રમાં યોજાઈ રહેલા મેળાઓમાં પણ તંત્ર દ્વારા પુરતી સાવચેતી રાખવામાં આવી રહી છે, જેના ભાગરૂપે જામનગરમાં પણ કલેકટર દ્વારા બનાવવામાં આવેલ રાઈડ્સ ચેકિંગ કમીટીના ૯ સભ્યોની ટીમ રંગમતી નદીના પટ્ટમા યોજાઈ રહેલા મેળામા તપાસણી અર્થે પહોચ્યા હતા, જ્યાં પહોચેલા અધિકારીએ જણાવ્યું હતું કે જેમના દ્વારા મંજૂરીઓ માંગવામાં આવી છે તેની સ્ક્રુટીની કરીને જરૂરી ડોક્યુમેન્ટ માંગવામાં આવ્યા છે, અને આજે સ્થળ પર તપાસ કરીને પણ ઘટતી કાર્યવાહી કરવા જરૂરી સૂચનાઓ કમીટીના સભ્યો દ્વારા આપવામાં આવ્યા બાદ રાઈડ્સ સંચાલકો ઘટતી કાર્યવાહી કરશે જે બાદ તેવોને નિયમમુજબ આપવાની થતી મંજૂરીઓ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.