Mysamachar.in-જામનગર
જામનગરમાં તાજેતરમાં જ તાપમાનનો પારો 40 ડિગ્રીથી ઉપર પહોંચ્યો હતો શહેરીજનોએ સૂર્યના આકરા તાપ અને અસહ્ય ગરમીનો અહેસાસ કર્યો હતો, દરમિયાન છેલ્લા ત્રણ ચાર દિવસથી પલટાયેલા હવામાનના કારણે શહેરીજનો મિશ્ર વાતાવરણનો અનુભવ કરી રહ્યા છે, બપોરના અરસામાં ગરમી અને રાત્રીના હળવી ઠંડકનો અહેસાસ કરી રહ્યા છે, કોરોનાની મહામારી વચ્ચે જામનગરમાં સર્જાયેલા મિશ્ર હવામાનના કારણે લોકો ભારે વિમાસણમાં મુકાઈ જવા પામ્યા છે,
એવામાં જામનગર સહિત રાજયન કેટલાય જીલ્લાઓમા આગામી ચાર દિવસ સુધી સૂર્યનો પ્રકોપ વધશે જેથી ગરમીનો પારો 41 ડિગ્રીને પાર જશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, વૈશાખ મહિનાની શરૂઆતમાં જ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધુ રહેવાથી વયોવૃદ્ધ લોકો ચોમાસાની ઋતુ સારી રહે તેવા સંકેતો પણ ડોશીશાસ્ત્ર પ્રમાણે વર્ણવી રહ્યા છે, જ્યારે બીજી બાજુ ગરમીને કારણે ફરજીયાત આગામી ચાર દિવસ લોકોને લોક ડાઉનનું ફરજિયાત પાલન કરવું પડે તે માટે સૂર્યનારાયણનો મિજાજ આકરો થઇ ઉઠ્યો હોવાની બાબતો સામે આવી રહી છે.